સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા કેસ સતત સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 2.89 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે અને 6 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. તે જ સમયે, કુલ મૃત્યુઆંક 24 લાખને વટાવી ગયો છે.
વર્લ્ડમીમીટર મુજબ, છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં કોરોનાના 2,89,746 નવા કેસ નોંધાયા છે, જે પછી કુલ કેસોની સંખ્યા વધીને 10,93,80,239 થઈ ગઈ છે. તે જ સમયે, કોરોનાથી 24,10,904 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 6,748 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.
બેંગ્લોર / વેલેન્ટાઇન ડે પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન…
વર્લ્ડમીટર મુજબ, વિશ્વભરમાં કોરોનાથી સ્વસ્થ્ય બનેલા લોકોની સંખ્યા 8,16,12, 037 છે. તે જ સમયે, સક્રિય કેસની સંખ્યા 2,53,57,298 છે અને 98,630 દર્દીઓની હાલત ગંભીર છે.
અમેરિકામાં નવા કેસોમાં ઘટાડો
અમેરિકા વિશ્વભરમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 63,468 નવા કેસ છે, જે પછી કુલ કેસની સંખ્યા 2,82,60,641 થઈ ગઈ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1074 લોકો મૃત્યુ પામ્યા છે.
બ્રિટનમાં 1.17 લાખથી વધુ મોત
બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 10,972 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો અને 258 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તે જ સમયે, કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,17,166 પર પહોંચી ગયો છે.
બ્રાઝિલ અને રશિયામાં સક્રિય કેસ ઓછા છે
બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23,258 કેસ નોંધાયા છે અને 447 લોકોનાં મોત નીપજ્યાં છે. કેસની કુલ સંખ્યા 98 લાખને વટાવી ગઈ છે. રશિયામાં છેલ્લા 24 કલાકમાં 14,115 લોકોને કોરોનાથી ચેપ લાગ્યો છે અને 430 લોકોનાં મોત નીપજ્યાં છે. કુલ કેસ 40,38,078 પર પહોંચી ગયા છે અને ત્યાં 3,98,656 સક્રિય કેસ છે.
Jammu / પુલવામા હુમલાની વરસી પર ટળ્યો મોટો આતંકી હુમલો, બસ સ્ટેન્ડમાંથી મળ્યો 7 કિલો lED
Political / એકવાર ફરી નજરકેદ કરવામાં આવ્યા ઉમર અબ્દુલ્લા, ટ્વીટ કરી આપી જાણકારી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…