સુરત શહેર અને આંગણે એક અનોખો નાતો છે. સ્થાનિક ફાયર વિભાગના લાખ પ્રયાસ છતાય સુરતમાં અવારનવાર આગજનીની ઘટનાઓ બનતી રહે છે. અને જાનમાલ સહીત નુકશાની થતી રહે છે. આજ રોજ વહેલી સવારે ફરી એકવાર સુરતના બામરોલી ખાતે મિલમાં આગની ઘટના બની હતી. અને આસપાસ આવેલા ઝુપડા આ આગની ઘટનામાં હોમાઈ ગયા હતા.
બેંગ્લોર / વેલેન્ટાઇન ડે પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન…
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના બમરોલીમાં ડાઇંગ મિલમાં સવારે આગ લાગી હતી. આગ લાગતા આસપાસ આવેલા ઝૂંપડાઓ પણ સળગ્યા હતા. 4 થી વધુ ઝૂંપડાઓમાં આગ ફેલાઈ હતી. એન બળીને ખાખ થઇ ગયા હતા. સાથે 6 જેટલા બાઇક અને 1 રીક્ષા પણ આગની ઝપટે આવી ગયા હતા.
ગરીબ સ્થાનિકોના ઝુંપડા બળી જતા રહીશોનો મિલ સામે હંગામો મચાવ્યો છે. અને વળતરની માગ સાથે પીડિતોએ મિલના ગેટ સામે જ ધરણા પર બેઠા છે.
Jammu / પુલવામા હુમલાની વરસી પર ટળ્યો મોટો આતંકી હુમલો, બસ સ્ટેન્ડમાંથી મળ્યો 7 કિલો lED
Political / એકવાર ફરી નજરકેદ કરવામાં આવ્યા ઉમર અબ્દુલ્લા, ટ્વીટ કરી આપી જાણકારી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…