Agnipath Scheme/ દેશમાં અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે વાયુસેનાની ભરતીમાં 56 હજારથી વધુ રજિસ્ટ્રેશન,નોંધણી આ તારીખે બંધ થશે,જાણો

14 જૂને અગ્નિપથ યોજના રજૂ કરતી વખતે સરકારે કહ્યું હતું કે 17 થી સાડા 21 વર્ષની વયજૂથના યુવાનોને 4 વર્ષની મુદત માટે ભરતી કરવામાં આવશે

Top Stories India

ભારતીય વાયુસેનાને અગ્નિપથ ભરતી યોજના હેઠળ રવિવાર સુધીમાં 56,960 અરજીઓ મળી છે. આ યોજના માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શુક્રવારે શરૂ થઈ હતી, તેની સામે કેટલાંક રાજ્યોમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયાના એક સપ્તાહ બાદ. એરફોર્સે રવિવારે ટ્વિટ કર્યું કે 56,960! અગ્નિપથ ભરતી અરજી પ્રક્રિયાના જવાબમાં વેબસાઇટ પર ભાવિ અગ્નિપથ તરફથી અત્યાર સુધી પ્રાપ્ત થયેલી અરજીઓની આ કુલ સંખ્યા છે.

નોંધણી 5 જુલાઈએ બંધ થશે. 14 જૂને અગ્નિપથ યોજના રજૂ કરતી વખતે સરકારે કહ્યું હતું કે 17 થી સાડા 21 વર્ષની વયજૂથના યુવાનોને 4 વર્ષની મુદત માટે ભરતી કરવામાં આવશે જેમાથી 25 ટકાને નિયમિત સેવા માટે પસંદ કરવામાં આવશે. દેશના ઘણા ભાગોમાં આ યોજનાનો હિંસક વિરોધ થયો હતો.અને હાલમાં પણ વિરોધ થઇ રહ્યો છે.