દિલ્હી,
મોદી સરકાર કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓને એક ખાસ ગિફ્ટ આપવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓને નવા ઘરના નિર્માણ કે ખરીદી માટે 25 લાખ રૂપિયા એડવાન્સ આપવાની જાહેરાત કરી છે. આ રકમ 8.50 ટકાના સામાન્ય વ્યાજ પર મળશે. આ પહેલાં, મહત્તમ મર્યાદા 7.50 લાખ રૂપિયા હતી અને વ્યાજનો દર 6 ટકાથી 9.50 ટકા હતો.
હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 20 વર્ષ માટે 25 લાખ રૂપિયા વ્યાજ પર આપવાવાળી અન્ય કંપનીઓની તુલનામાં હાઉસિંગ બાંધકામ એડવાન્સનો લાભ ઉઠાવીને કર્મચારી લગભગ 11 લાખ રૂપિયા જેટલી રકમ બચાવી શકે છે.