મુંબઈ,
આજથી ૧૦ વર્ષ પહેલા એટલે કે ૨૦૦૮ના દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોટો આતંકી હુમલો થયો હતો, ત્યારે ૨૬ નવેમ્બર, સોમવારે આ હુમલાની ૧૦ વર્ષી છે.
૨૦૦૮માં થયેલા આ આતંકી હુમલામાં અંદાજે ૧૬૬ જેટલા નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
આ જ અરસામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી પણ સોમવારે મુંબઈમાં હતા, ત્યારે તેઓએ પણ મુંબઈ આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નાગરિકોને શ્રધાંજલિ પાઠવી હતી.
CM રુપાણીએ હોટલ ટ્રાયડેન્ટમાં આ હુમલાનો ભોગ બની મૃત્યુ પામેલા વ્યક્તિઓના સ્મારક સ્થળે જઇને પણ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે મુખ્યમંત્રી વિજય રુપાણી મુંબઈમાં હતા. મુંબઈમાં તેઓએ જાન્યુઆરી-૨૦૧૯ માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી કડીની પુર્વ તૈયારીરૂપે પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી.