નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી દેશના ઉપભોક્તાઓના હિતોના સંરક્ષણ અને તેઓ સાથે જોડાયેલા વિવાદોના નીપટાવવા માટેના સંબંધમાં ઉપભોક્તા સંરક્ષણ બીલ-૨૦૧૮ લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે.
આ બીલ પર થયેલી ચર્ચાના સંદર્ભમાં ખાદ્ય આપૂર્તિ અને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું હતું કે, “બીલમાં એવું કોઈ પ્રાવધાન નથી,જેથી દેશના સંધીય સ્ટ્રકચરમાં કોઈ નુકશાન થાય”.
તેઓએ વધુમાં કહ્યું, “આ બીલમાં રાજ્યોના અધિકારનો તમામ રીતે વિચારણા કરવામાં આવી છે અને આ કારણે કોઈ પણ પ્રકારની દખલ રહેશે નહિ. આ કાયદો ૧૯૮૬માં બન્યો હતો, ત્યારબાદ આ સ્થિતિમાં ફેરફાર આવ્યો હતો પરંતુ કાયદો જૂનો હતો. આ કારણે નવો પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ બીલથી ગ્રાહકોને થનારા ફાયદા વિષે તેઓએ કહ્યું, “આ પહેલા ઉપભોક્તાઓને પોતાની ફરિયાદ કરવા માટે બહાર જવું પડતું હતું, પરંતુ હવે તેઓ પોતાના ઘરેથી જ ફરિયાદ કરી શકશે. સાથે સાથે આ બીલમાં મધ્યસ્થતાનું પણ પ્રાવધાન છે.
આ ઉપરાંત ઉપભોક્તા બીલ પસાર થયા બાદ હવે જો જિલ્લા અને રાજ્યની કન્ઝ્યુમર ફોરમ ઉપભોક્તાના હિતમાં ચુકાદો આપે છે તો આરોપી કંપની રાષ્ટ્રીય ફોરમમાં જઈ શકશે નહિ.