કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમાં એક તલ્હા રાશિદ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો ભત્રીજો હતો. જૈશના પ્રવક્તાએ આ માહિતી આપી હતી.આ એન્કાઉન્ટરમાં સેનાના એક જવાન શહીદ થયા છે. જ્યારે એક સામાન્ય નાગરિક ઘાયલ થયો છે.
જૈશના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, મારવામાં આવેલા અન્ય બે આતંકીઓના નામ મોહમ્મદ ભાઈ અને વસીમ છે. મોહમ્મદ ભાઈ જૈશના ડિવીઝનલ કમાન્ડર હતા.જે કાશ્મીરના રહેવાસી નહતા. વસીમ પુલવામાના દ્રુષગામનો હતો.