વડાપ્રધાન નરેન્દ્ર મોદી તોફાનની ચપેટમાં આવેલા લક્ષદ્વીપનો પ્રવાસ કરવા પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ ત્યાં આવેલા સંકટો સામે કરવામાં આવતી કામગીરી બાબતે રિવ્યુ બેઠક બોલાવી છે. પીએમ ત્યાં અસરકારક વિસ્તારોમાં પણ પ્રવાસ કરશે. ગત પખવાડિયામાં દક્ષિણ ભારતમાં આવેલ ઓખીના તોફાનમાં 600થી વધારે માછીમારોની જાણકારી મળી શકી નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યુ કે, લાપતા માછીમારોમાં 433 તામિલનાડુ અને 186 કેરળના હતા.જોકે, બંને રાજ્યોના લાપતા લોકોની હજુ સુધી અંતિમ યાદી સોંપવામાં આવી નથી.સાથે જ લાપતા માછીમારો વિશે ઘરે-ઘરે જઈને તપાસ કરવામાં આવી છે