ફિલ્મ “પદ્માવતી” ને લઇ દેશભરમાં વિરોધનું વંટોળ જોવા મળી રહ્યું છે. દેશભરમાં આ ફિલ્મના રીલીઝ થવા પર પ્રતિબંધ મુકવા માટે માંગ ઉઠી રહી છે ત્યારે વિશ્વ હિંદુ પરિષદે પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. વીએચપીના ઇન્ટરનેશનલ પ્રમુખ ડો. પ્રવિણ તોગડિયાએ આ ફિલ્મના વિરોધ અંગે એક નિવેદન આપ્યું છે.
ડો. પ્રવિણ તોગડિયાએ ફિલ્મના વિરોધ અંગે હૂમલો કરતા જણાવ્યું, “પદ્માવતી ફિલ્મ પર કેન્દ્ર સરકાર પ્રતિબંધ મૂકે, નહિ તો જે થશે તેણે ઈતિહાસ યાદ રાખશે”.
મહત્વનું છે કે, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે એક જાહેર હિતની અરજીની સુનાવણી કરતા કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી, પરંતુ ત્યારબાદ આ વિવાદ અટકવાનું નામ લઇ રહ્યો નથી.