નવી દિલ્હી,
મંગળવારથી દેશભરમાં ધામધૂમથી નવા વર્ષની શરૂઆત થઇ ગઈ છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ઇન્ટરવ્યુ દ્વારા દેશની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા છે.
ન્યુઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું,
ઉર્જિત પટેલે વ્યક્તિગત કારણોસર આપ્યું રાજીનામું
ઉર્જિત પટેલે ૬-૭ મહિના પહેલા રાજીનામું આપવાની કહી હતી વાત
પીએમ મોદીએ ઉર્જિત પટેલના રાજીનામાં અંગે ઉઠાવ્યો પડદો
RBIના ગવર્નર તરીકે ઉર્જિત પટેલે કર્યું શાનદાર કામ
નોટબંધી એ જનતા માટે ઝટકો ન હતો
દેશના લોકોને પહેલાથી આપ્યા હતા સંકેત
કાળુંનાણું છે તો તમે સરકાર પાસે જમા કરાવી શકો છો
રામ મંદિર :
રામ મંદિરનો મુદ્દો કોર્ટ દ્વારા કાયદો ઘડીને જ લવાશે
ટ્રિપલ તલાકના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અધ્યાદેશ લાવવામાં આવ્યો છે.
રામ મંદિરના મુદ્દે પણ બંધારણના નિયમ મુજબ જ નિર્ણય કરવામાં આવશે.
રામ મંદિરના મુદ્દે હાલ સરકાર અધ્યાદેશ લાવશે નહિ
બેન્કના ગોટાળા :
વિજય માલ્યા અને નીરવ મોદી જ જેવા કૌભાંડીઓ પ્રત્યે અમારી સરકાર સખ્ત હતી એટલા માટે તેઓ દેશ છોડીને ભાગી ગયા.
પરંતુ જો દેશમાં પહેલાની સરકાર હોત તો તે દેશમાં રહીને જ લુંટતા રહ્યા હોત.
દેશમાંથી ચોરાયેલા પૈસા પાછા લાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.