પાકિસ્તાનના પીએમ બનાવ જઈ રહેલા ઈમરાન ખાનની શપથ વિધિમાં હાજરી આવા જઈ રહેલા કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુ પર સુબ્રમણયમ સ્વામી એ નિશાન સાધ્યુ છે. સ્વામીએ જણાવ્યુ કે, મને નથી લાગતુ કે સિદ્ધુની માનસિક સ્થિતિ સારી હોય.
સિદ્ધુ પાકિસ્તાન જશે તો તેમના રાજકીય કરિયરને મોટુ નુકસાન થવાનું છે. લોકો તેમને ગદ્દાર કહેશે. અને ક્યારય કોઈ માફ નહી કરે. સિદ્ધુએ પાકિસ્તાન જવા માટે સોમવારે દિલ્હી ખાતે આવેલા પાકિસ્તાન દુતાવાસનો સંપર્ક કર્યો હતો.
ઈમરાન ખાને સિદ્ધુને ફોન કરીને શપથ વિધિમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યુ હતું. ત્યારે શિવસેના બાદ સિદ્ધુ પર સુબ્રમણ્યમ સ્વામીએ પણ આકરા પ્રહાર કર્યા છે.
પંજાબ ના અકાલી દળના નેતા એસ બાદલે કહ્યું કે સિદ્ધુ સાહેબની ખબર નથી કાલે શું કરશે, બે દિવસ પછી શું કરશે. જે કરશે એનું કેટલું નુકસાન થશે. મને લાગે છે કે તેઓ ત્યાં જ વસી જાય. પંજાબ માં અને દેશમાં શાંતિ થઇ જશે.