Not Set/ આદર્શ કૌભાડમાં આરોપી મહારાષ્ટ્રના પૂર્વ સીએમને હાઇકોર્ટે આપી રાહત, જુઓ

મહારાષ્ટ્રના બહુચર્ચિત આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડમાં આરોપી પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા અશોક ચૌહાણ માટે હાઇકોર્ટ તરફથી રાહતના સમાચાર આવ્યા છે. શુક્રવારે બોમ્બે હાઈકોર્ટે આ કૌભાંડમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ પર કેસ ચલાવવાની રાજ્યપાલની મંજૂરીને રદ કરી છે. આ પહેલા ચૌહાણે આ મામલે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ દ્વારા સીબીઆઈને તેમના પર કેસ ચલાવવાની […]

India
milind deora 2 650 041214115245 આદર્શ કૌભાડમાં આરોપી મહારાષ્ટ્રના પૂર્વ સીએમને હાઇકોર્ટે આપી રાહત, જુઓ

મહારાષ્ટ્રના બહુચર્ચિત આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડમાં આરોપી પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા અશોક ચૌહાણ માટે હાઇકોર્ટ તરફથી રાહતના સમાચાર આવ્યા છે. શુક્રવારે બોમ્બે હાઈકોર્ટે આ કૌભાંડમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ પર કેસ ચલાવવાની રાજ્યપાલની મંજૂરીને રદ કરી છે.

આ પહેલા ચૌહાણે આ મામલે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ દ્વારા સીબીઆઈને તેમના પર કેસ ચલાવવાની અનુમતિ આપવાના ફેસલાને પડકાર્યો હતો. રાજ્યપાલે ગત વર્ષ ફેબ્રુઆરીમાં અશોક ચૌહાણ પર ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમની સાથે ષડયંત્ર અને દગાબાજી સંબંધિત આઈપીસીની અલગ અલગ કલમો હેઠળ કેસ ચલાવવાની મંજૂરી આપી હતી.

ઉલ્લેખનિય છે કે, મુંબઈના પોશ વિસ્તાર કોલાબામાં સેનામાંથી રિટાયર્ડ થયેલા તથા કાર્યરત લોકોને ઘર ઉપલબ્ધ કરાવવાના હેતુથી 31 માળનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ સોસાયટીમાં મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચૌહાણ સહિત અનેક મોટા રાજનેતા, સેનાના અધિકારી વગેરેએ મળીને નિયમોને તોડી મરોડીને પાણીના ભાવે પોત પોતાના નામે આ ફ્લેટ લઈ લીધા હતા. ત્યારબાદ આ કૌભાંડનો ખુલાસો થતા ચૌહાણે મુખ્યમંત્રી પદ પણ છોડવું પડ્યું હતું.