દેશમાં શહેરના નામ બદલવાનો જાણે કોઈ નવો ટ્રેન્ડ ચાલુ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. યોગી આદિત્યનાથ હાલમાં જ ફૈઝાબાદ જીલ્લાનું નામ બદલીને અયોધ્યા કરી દીધું છે. ત્યારબાદ ગુજરાત સરકાર પણ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાનું વિચારી રહી છે. જો કે હજુ તેનો કોઈ ફાઈનલ નિર્ણય આવ્યો નથી .
Agar iss desh mein sirf shehron ke naam badlne se desh ko sone ki chidiya bana sakte toh main maanta hun ki 125 crore Hindustaniyon ka naam Ram rakh dena chahiye. Iss desh mein berozgari,kisanon ka prashn bada hai aur yeh naam aur murtiyon ke chakkar mein hain:Hardik Patel(14.11) pic.twitter.com/UFUjcKSodN
— ANI (@ANI) November 15, 2018
તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલે ઉત્તર પ્રદેશમાં એક ઉદ્ઘાટન સમારોહમાં તેણે હાજરી આપી હતી.
આ વચ્ચે પાટીદાર નેતા હાર્દિક પટેલે હાલ ચાલી રહેલા શહેરોના નામકરણ વિશે તીખી ટીપ્પણી કરી હતી. તેઓએ કહ્યું હતું કે, જો દેશમાં માત્ર શહેરના નામ બદલવાથી ભારત દેશ “સોને કી ચીડિયા” બની શકે છે. જો તમે આ પ્રકારની માન્યતા રાખતા હોવ તો ૧૨૫ કરોડ ભારતવાસીઓના નામ બદલીને “રામ” રાખી દો.
આ દેશમાં હાલ બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્ન મોટા છે જયારે સરકાર શહેરના નામકરણ અને મૂર્તિઓમાં વ્યસ્ત છે.
