Rajkot News/ NEETમાં પાસ કરાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ, વાલીએ CBI અને શિક્ષણમંત્રીને કરી ફરિયાદ

NEETમાં વિદ્યાર્થીને 75થી 1 કરોડમાં 650+ માર્ક્સ સાથે પાસ કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ટોળકી દ્વારા 85 વિદ્યાર્થીઓને સારા માર્ક્સે પાસ કરાવવાની ગેરંટી અપાઈ હતી.

Gujarat Rajkot

Rajkot news NEETમાં પાસ કરાવવાના કૌભાંડ (Scandal) નો પર્દાફાશ (Exposing) થયો છે. શહેરમાં એક ટોળકી દ્વારા આ કૌભાંડ (Scandal) આચરવામાં આવ્યું છે. રાજકોટમાં સારા માર્ક્સની લાલચ આપીને ભોળા વાલીઓ અને વિદ્યાર્થીઓને ફસાવવાના કાળા કામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ટોળકીના સાગરીતો 75 લાખથી 1 કરોડમાં NEETમાં કુલ 650+ માર્ક્સ અપાવવાનું વચન વિદ્યાર્થીઓને આપીને ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

મળતી વિગતો અનુસાર 85 લાખ વિદ્યાર્થીઓને 650+ માર્ક્સ અપાવી જેવાની ગેરંટી અપાઈ હતી. રાજકોટના વાલી અને ટોળકીના વચેટિયાની ડીલની વિગતો સામે આવી હતી.ત્યારે વિદ્યાર્થીના વાલીને અમદાવાદની હોટેલમાં બોલાવી ડીલ કરાવી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર પ્રકરણમાં ગુજરાતના કુલ 8 વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં છે. તો આ ટોળકીનું નેટવર્ક કર્ણાટક, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ફેલાયેલું હોવાનું જાણવા મળ્યું છે.

આવનારી NEETની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ કરાવવાની ટોળકી દ્વારા ગેરંટી અપાઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમદાવાદના એક ક્લાસિસ સંચાલકની આ કૌભાંડમાં ભેદી ભૂમિકા રહેલી છે. ત્યારે આ ટોળકીની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો પરીક્ષા આપનારા વિદ્યાર્થીના 4થી 5 માસ અગાઉ જ અન્ય રાજ્યના આધારકાર્ડ બનાવી દેવાય છે. NEETમાં ગેરરીતિના મામલે CBI સહિત 11 જગ્યાએ વાલીએ ફરિયાદ નોંધાવી છે. તેમજ વિદ્યાર્થીના વાલીએ શિક્ષણ મંત્રી અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને પણ ફરિયાદ કરી છે. જેમાં વાલીએ ગુજરાતના 8 વિદ્યાર્થીઓએ પરીક્ષા પહેલા સેટિંગ કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટઃ જામનગર રોડ પર યુવાનની હત્યાનો મામલો, મર્ડરના ગુન્હાના આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, કચ્છના સાપેડા ગામથી ત્રણે આરોપીઓને ઝડપ્યા, ક્રાઈમ બ્રાન્ચે

આ પણ વાંચો: રાજકોટ: જાવરીમલ બિશ્નોઈ આપઘાત કેસ જાવરીમલ બિશ્નોઈના ભાઇએ આપ્યું નિવેદન સુપ્રીમના જજની અધ્યક્ષતામાં કમિટી બનાવો આપઘાત છે કે મર્ડર છે તેની સાચી

આ પણ વાંચો: રાજકોટના ચકચારી મર્ડર કેસ માં આરોપીના ગુજરાત હાઇ કોર્ટ દ્વારા જામીન મંજૂર