Navsari News : નવસારીના વિજલપોર પ્રાથમિક શાળાની લાપરવાહી સામે આવી છે. જેમાં બાળકો પાસે શાળાનો કચરો ઉઠાવાયો હતો. જેમાં બાળકો દ્વારા કચરો ઉઠાવતો વીડિયો પણ વાયરલ થયો છે.બાળકોએ કચરાના ટેમ્પામાં શાળાનો કચરો નાખ્યો હતો.જેને પગલે શાળામાં બાળકો શિક્ષણ મેળવવા જાય છે કે કચરો ઉચકવા..? તેવો પ્રશ્ન ઉદભવ્યો છે.
તે સિવાય બાળકો પાસે આવી રીતે કચરો ઉચકાવવું કેટલું યોગ્ય..? તે પણ વિચારવા જેવો પ્રશ્ન છે. બીજીતરફ શાળાના આચાર્યએ બાળકો પાસે કચરો ઉંચકાવ્યાનું કબૂલ્યું હતું. તેમણે સ્વછતાએ કેળવણીનો ભાગ હોવાનું જણાવી પોતાનો બચાવ કર્યો હતો.
આ પણ વાંચોઃરાજ્યમાં માર્ગો-પુલો-હાઇવેની સ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી
