Pahalgam Terror Attack : મંગળવારે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા(Terrorist attacks)માં 26 લોકો માર્યા ગયા હતા અને 13 ઘાયલ થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે જ છોડીને દિલ્હી પરત ફર્યા છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારોને મળ્યા. દરમિયાન, હુમલાખોરોની શોધખોળ તેજ કરવામાં આવી છે. સેનાની સાથે, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ પણ સર્ચ ઓપરેશનમાં સામેલ છે. સેનાની વિક્ટર ફોર્સ સાથે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સૈનિકો હુમલો કરનારા આતંકવાદીઓને શોધી રહ્યા છે. લશ્કર-એ-તૈયબાના ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ સંબંધિત દરેક અપડેટ માટે આ પેજ પર રહો.
સુરક્ષા મુદ્દે સાંજે 6 વાગ્યે કેબિનેટની બેઠક થશે.
માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરથી પાછા ફર્યા પછી, સાંજે 6 વાગ્યે સુરક્ષા બાબતો પર કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહે પીડિત પરિવારોને મળ્યા
#WATCH | Srinagar | Union Home Minister Amit Shah and J&K LG Manoj Sinha meet the families of Pahalgam terror attack victims pic.twitter.com/vJ73eeRyVC
— ANI (@ANI) April 23, 2025
શ્રીનગર પોલીસ કંટ્રોલ રૂમમાં પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીડિત પરિવારોને મળ્યા.
ગૃહમંત્રી અમિત શાહથી દિલ્હી પરત ફર્યા પછી CCS ની બેઠક યોજાશે
ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરથી પાછા ફર્યા પછી સીસીએસની બેઠક યોજાશે. આ દરમિયાન, પ્રધાનમંત્રી NSA અજિત ડોભાલ અને અન્ય સુરક્ષા એજન્સીઓના વડાઓ પાસેથી બ્રીફિંગ લઈ રહ્યા છે. NSA અજિત ડોભાલ આ મોટા આતંકવાદી હુમલાની સમીક્ષા કરી રહ્યા છે. પ્રધાનમંત્રીને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી. ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં આતંકવાદીઓને સ્થાનિક સમર્થન મળ્યું હતું. આ હુમલા પાછળ 4 વિદેશી આતંકવાદીઓનો હાથ હતો. સુરક્ષા દળો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ બૈસરન, પહેલગામ અને અનંતનાગ વિસ્તારોમાં સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
લેફ્ટનન્ટ વિનય નરવાલના નિધન પર નૌકાદળે શોક વ્યક્ત કર્યો
एडमिरल दिनेश के त्रिपाठी, CNS और भारतीय नौसेना के सभी कार्मिक लेफ्टिनेंट विनय नरवाल की दुखद मृत्यु से स्तब्ध और बहुत दुखी हैं, जो पहलगाम में हुए आतंकी हमले में मारे गए। हम इस अकल्पनीय दुख की घड़ी में उनके परिवार के प्रति अपनी हार्दिक संवेदना व्यक्त करते हैं। भारतीय नौसेना भी… pic.twitter.com/D44HpE6Mjg
— ANI_HindiNews (@AHindinews) April 23, 2025
ભારતીય નૌકાદળે પહેલગામ આતંકવાદી હુમલામાં ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનય નરવાલના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. નૌકાદળ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે આ અકલ્પનીય દુઃખની ઘડીમાં તેમના પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભારતીય નૌકાદળ આ ઘૃણાસ્પદ હિંસામાં જીવ ગુમાવનારા અન્ય તમામ લોકો સાથે સંપૂર્ણ એકતામાં ઉભું છે. અમારી સંવેદના અને પ્રાર્થના પીડિતોના પરિવારો સાથે છે અને અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ.
ગૃહમંત્રી અમિત શાહે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરના પોલીસ કંટ્રોલ રૂમમાં પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી.
આ પણ વાંચો:અમરનાથ યાત્રા પહેલા ખીણ પ્રવાસીઓના લોહીથી લથપથ, આજે જમ્મુ-કાશ્મીર બંધનું એલાન
આ પણ વાંચો:સર્ચ ઓપરેશન દરમિયાન પાકિસ્તાને ઉરીમાં કર્યો ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા
