ભારતીય વાયુસેના (IAF) આજે એટલે કે શુક્રવારે તેનો સ્થાપના દિવસ ઉજવી રહી છે, જે 8 ઓક્ટોબરનાં રોજ IAF દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2021 ભારતીય વાયુસેનાની સ્થાપનાનાં 89 વર્ષ પૂરા કરે છે અને હંમેશની જેમ ઉજવણી ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદનાં હિન્ડન એરફોર્સ સ્ટેશન પર વાયુસેનાનાં વડા અને ત્રણ સશસ્ત્ર દળોનાં વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં થઇ રહી છે.

આ પણ વાંચો – ભાવ વધારો / તહેવાર ટાણે જનતાને મોંઘવારીનો માર, આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ
આપને જણાવી દઇએ કે, 8 ઓક્ટોબર ભારત માટે ખૂબ મહત્વનો દિવસ છે. આ દિવસે ભારતીય વાયુસેનાં દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ભારતીય વાયુસેનાનો 89 મો સ્થાપના દિવસ ઉજવવામાં આવશે. આ પ્રસંગે, ભારતીય વાયુસેના ગાઝિયાબાદનાં હિન્ડન એરબેઝ પર 1971 નાં યુદ્ધમાં ભારત-પાકિસ્તાન યુદ્ધની વિજય ગાથા બતાવશે. આ વર્ષે, ભારત-પાકિસ્તાન યુદ્ધનાં 50 વર્ષ પૂરા થવા પર, ભારતીય વાયુસેના આ વર્ષે વિજયનાં વર્ષ તરીકે ઉજવી રહી છે. વાયુસેનાએ પોતાની બહાદુરીથી ભારતને ઘણી વખત ગૌરવ અપાવ્યું છે. આજે, દિલ્હી-એનસીઆરનાં આકાશમાં ભારતની શક્તિ દેખાશે, જે પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. આજે આ એરફોર્સ ડે પ્રોગ્રામમાં, રાફેલથી તેજસ, જગુઆર, મિગ-29 અને મિરાજ 2000 ફાઇટર એરક્રાફ્ટ તેમની તાકાત સાથે પોતાનું પરાક્રમ દર્શાવતા જોવા મળશે.

આ પણ વાંચો – ઘૂસણખોરી / નહી સુધરે ચીન, અરૂણાચલમાં ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને ભગાડ્યા
વાયુસેના દિવસ નિમિત્તે બહાદુર યોદ્ધાઓને અભિનંદન આપતા વડાપ્રધાન મોદીએ લખ્યું – અમારા વાયુ સૈનિકો અને તેમના પરિવારોને વાયુસેના દિવસ પર શુભેચ્છાઓ. ભારતીય વાયુસેના સાહસ, પરિશ્રમ અને વ્યાવસાયીકરણનો પર્યાય છે. તેમણે પોતાની માનવતાવાદી ભાવના દ્વારા અને પડકારોનાં સમયમાં દેશનો બચાવ કરીને પોતાને અલગ બતાવ્યા છે.
Greetings to our air warriors and their families on Air Force Day. The Indian Air Force is synonymous with courage, diligence and professionalism. They have distinguished themselves in defending the country and through their humanitarian spirit in times of challenges. pic.twitter.com/UbMSOK3agP
— Narendra Modi (@narendramodi) October 8, 2021
ઉપરાંત, ગૃહમંત્રી અમિત શાહે લખ્યું – ભારતીય વાયુસેના દિવસ પર, અમે નિસ્વાર્થપણે રાષ્ટ્રની સેવા કરવા અને તેની અખંડિતતાની રક્ષા કરવા માટે અમારા બહાદુર હવાઈ યોદ્ધાઓને સલામ કરીએ છીએ. અમને અમારા બહાદુર વાયુસેનાનાં ગૌરવશાળી ઈતિહાસ પર ગર્વ છે. તમે તમારી અપ્રતિમ ભક્તિ અને પ્રતિબદ્ધતા સાથે દેશવાસીઓને પ્રેરણા આપતા રહો.
On Indian Air Force Day, we salute our brave Air warriors for selflessly serving the nation and protecting its integrity.
We are proud of the glorious history of our valorous Air Force.
May you continue to inspire the countrymen with your unparalleled devotion and commitment. pic.twitter.com/7r43n4Vjif
— Amit Shah (@AmitShah) October 8, 2021
આપને જણાવી દઈએ કે, 1932 માં આ દિવસે ભારતીય વાયુસેના દિવસની સ્થાપના કરવામાં આવી હતી, જેના કારણે દર વર્ષે 8 ઓક્ટોબરને વાયુ સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બ્રિટિશ શાસન હેઠળ, ઈન્ડિયા એરફોર્સ ડેને રોયલ ઈન્ડિયન એરફોર્સ કહેવામાં આવતું હતું, પરંતુ આઝાદી પછી રોયલ શબ્દને પડતો મૂકીને ઈન્ડિયન ફોર્સ રાખવામાં આવ્યુ હતુ.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
