ભાવનગરઃ ભાવનગર નજીક થયેલા અકસ્માતમાં એકનું મોત થયું છે. આ અકસ્માત ભાવનગરના તળાજા નજીક થયો છે. તળાજાના શેત્રુંજી પુલ પાસે બનેલી આ ઘટનામાં એકનું મોત થયું છે. સવારે ચાર વાગ્યે ટ્રક પલ્ટી ખાઈ જતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું નિધન થયું છે.
ટ્રક ડ્રાઇવરને ટ્રક ચલાવતી વખતે વહેલી સવારે ઝોકું આવી જતા આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. આ ઉપરાંત ભાવનગર ગ્રામ્ય પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળ કાર્યવાહી શરૂ કરી છે. આમ રાજ્યમાં અકસ્માતોની પરંપરા જારી રહી છે.
આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો
આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા
આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે
