Ahmedabad News: દેશમાં અને ગુજરાતમાં સતત વધતા જતા આત્મહત્યાની ઘટના અંગે કેન્દ્ર સરકારની જનતા સાથેના વિશ્વાસઘાત, ‘અચ્છે દિન’, ‘અમૃતકાળ’, ‘ખેડૂતોની આવક બમણી’ ‘મોંઘવારીના મારથી મુક્તિ મળશે’, સહિતના વાયદાથી તદ્દન વિપરીત ભાજપની નીતિનો ભોગ દેશના પરિવારો બની રહ્યા છે કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીષ દોશીએ આકરા પ્રહાર કાર્ય હતા. દેશમાં રોજમદાર, શ્રમિકો, મહિલાઓ, ખેડૂતો,ખેતમજદૂરો વિધાર્થીઓ, વેપારીઓ સેવા નિવૃત લોકો, સહીત સહ પરિવાર આત્મહત્યા થઈ રહી છે તે ચિંતાજનક છે. વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨ સુધી સતત છ વર્ષથી આત્મહત્યાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દેશમાં છેલ્લા ૬ વર્ષમાં ૯,૯૨,૫૩૫ લોકોએ આત્મહત્યા કરી.
સરેરાશ દરરોજ ૪૦૭થી વધુ લોકો દેશમાં આત્મહત્યા કરી રહ્યા છે. ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર આત્મહત્યા કરી રહ્યા છે. ભારતમાં દર ૨૫ મીનીટે એક ગૃહિણી આત્મહત્યા કરી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિક સમસ્યાઓ, પારીવારીક મુશ્કેલીઓ સહીતના કારણોસર આત્મહત્યા ઓ વધી.
ગુજરાતમાં પાછળના ત્રણ વર્ષમાં ૪૯૫ વિધાર્થીઓ સહીત ૨૫,૪૭૮ વ્યક્તિઓએ આત્મહત્યા કરી. ગુજરાતના પ્રમુખ શહેરો જેવા કે અમદાવાદમાં ૩૨૮૦, સુરતમાં ૨૮૬૨, રાજકોટમાં ૧૨૮૭ આત્મહત્યાઓ ચિંતાજનક છે. ગુજરાતમાં વિધાર્થીઓની આત્મહત્યામાં ૨૧ ટકાનો વધારો, ત્રણ વર્ષમાં ૬૮૭૯ વિધાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. ભાજપ સરકાર જરૂરિયાતમંદ લોકોને રોજગાર, આર્થિક સહાયતા, માનસિક સ્વાસ્થ્યતા આપવામાં નિષ્ફળ નીવડી છે.
વર્ષમાં ૨૦૨૨માં ૧,૬૪ ૦૩૩ લોકોએ આત્મહત્યા કરી, જેમાં ૧૨,૦૫૫ વેપારીઓ, ૮૧૭૬ સ્વરોજગાર કરનાર એમ કુલ ૨૦,૨૩૧ લોકોએ આત્મહત્યા કરી, વર્ષમાં ૨૦૨૨માં ૧,૬૪ ૦૩૩ લોકોએ આત્મહત્યા કરી , જેમાં ૧૨,૦૫૫ વેપારીઓ, ૮૧૭૬ સ્વરોજગાર કરનાર એમ કુલ ૨૦,૨૩૧ લોકોએ આત્મહત્યા કરી.
ક્રમ વર્ષ આત્મહત્યાની સંખ્યા
૧ ૨૦૧૭ ૧,૨૯,૮૮૭
૨ ૨૦૧૮ ૧,૩૪,૫૧૬
૩ ૨૦૧૯ ૧,૩૯, ૧૨૩
૪ ૨૦૨૦ ૧,૫૩,૦૫૨
૫ ૨૦૨૧ ૧,૬૪,૦૩૩
૬ ૨૦૨૨ ૧,૭૧,૯૨૪
કુલ ૯,૯૨,૫૩૫
આ પણ વાંચો:કેજરીવાલ જેલમાં, પત્ની સુનિતા ગુજરાતમાં કરી શકે છે પ્રચાર…..
આ પણ વાંચો:પાટીલે કહ્યું રૂપાલાને માફ કરી દો મારી બે હાથ જોડીને વિનંતી