મોરબીમાં હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવમાં પતિ પત્નીની હત્યા કર્યા બાદ તેના મૃતદેહ સાથે 450 કિ.મી. અંતર કાપી વતન પંહોચ્યો. મૃતકના દિકરાએ આ મામલે ફરિયાદ કર્યા બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી. મોરબીના ખાનગપર ગામની આ ઘટનામાં ફરિયાદ બાદ પોલીસે આરોપની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
પત્નીની હત્યા કરનાર રેમલાભાઈ નાયકા મૂળ છોટા ઉદેપુરના વતની છે. મોરબીમાં પત્ની જીનકીબેન સાથે ખેતમજૂરી કરી પરીવારનું ગુજરાન ચાલવે છે. પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે વિવાદ થતા રેમલાભાઈ ઉશ્કેરાઈ ગયા અને પત્ની જીનકી બેન પર ઘરમાં પડેલ દાતરડાથી હુમલો કર્યો. જીનકી બેનના ગળા અને માથાના ભાગે ગંભીર ઇજા થતા મૃત્યુ પામ્યા. પત્નીની હત્યા કર્યા બાદ રેમલાભાઈ કારમાં પત્નીનો મૃતદેહ લઈ 450 કિ.મી.નું અંતર કાપી છોટાઉદેપુર પોતાના વતન પંહોચ્યા.
મોરબીથી પોતાના વતન છોટાઉદેપુર પંહોચ્યા બાદ મૃતકના પરિવારજનોની દિકરીની હત્યાની જાણ થઈ. જીનકીબેનના પરીવારે સ્થાનિક પોલીસનો સંપર્ક કરી જમાઈ રેમલા નાયક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તેમજ રેમલના નાયકના પુત્ર હસમુખભાઈએ ઝીરો નંબરથી પોલીસને ફરિયાદ કરી. જેની મોરબી પોલીસને જાણ કરવામાં આવી. તેના બાદ છોટાઉદેપુર પોલીસે આરોપીનો કબ્જો મોરબી પોલીસને સોંપી દેતા ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી.
આ પણ વાંચો :દિવાળીના તહેવારોમાં બેંકોમાંથી ગ્રાહકોને કડકડતી ચલણી નોટો ન મળતા નિરાશા
આ પણ વાંચો : અમદાવાદના પોલીસ તંત્રમાં મચ્યો હડકંપ, 1124 પોલીસકર્મીઓની એક સાથે બદલી
આ પણ વાંચો : સુરતમાં મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર નવા બ્રિજમાં ગર્ડર મુકાયું