સુરતમાં એક બિલ્ડરે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. કતારગામ વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશનની સામે પટેલ પાર્ક કોમ્પલેક્સમાં આવેલી પોતાની ઓફિસમાં જ બિલ્ડરે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કતાર ગામ વિસ્તારમાં આવેલી રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા નાગજીભાઈ પરષોતમભાઈ ધામેલીયા બિલ્ડીંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં.
તેઓએ આજે ઘરેથી નીકળી કતારગામ વિસ્તારમાં ફાયર સ્ટેશન સામેની પટેલ પાર્ક કોમ્પલેક્સમાં આવેલી નેસ્ટ બિલ્ડકોન અને પાર્થ કન્ટ્રક્શન નામની ઓફિસમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ અંગે કતાર ગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, પ્રાથમિક તબક્કે એવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે, દેવું વધી જતાં તેમણે આ પગલું ભર્યું હોય શકે છે.
બિલ્ડર નાગજીભાઈ ધામેલીયાએ સુસાઈડ નોટ લખી હતી. જે પોલીસને હાથ લાગી છે. પરંતુ તેમાં તેમણે આપઘાત પાછળ ક્યું કારણ જવાબદાર હતું અને શું ખુલાસા કર્યા છે તે હજુ પોલીસે જાહેર કર્યું નથી.