જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓની ફીમાં વધારા સામે હજી વિરોધ પ્રદર્શન ચાલુ છે. જે.એન.યુ.નાં સેંકડો વિદ્યાર્થીઓએ ફી વધારાનાં વિરોધની કડીમાં સોમવારે સંસદ ભવન તરફ વિરોધ કૂચ શરૂ કરી હતી. લગભગ એક હજાર વિદ્યાર્થીઓએ જેએનયુ ગેટની બહાર લગાવેલા પોલીસ બેરિકેડ્સ તોડી નાખ્યા હતા. આ અંગે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસ દળ જેએનયુનાં વિદ્યાર્થીઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે.
Delhi: Jawaharlal Nehru University Students march towards Parliament over their demand of complete fee roll back along with other demands pic.twitter.com/iqdyDCzZQh
— ANI (@ANI) November 18, 2019
વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ તેમની કૂચને સફળ બનાવવા માટે યુનિવર્સિટીનાં અન્ય વિદ્યાર્થીઓને પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી છે. વિદ્યાર્થીઓની કામગીરીને જોતા સંસદ ભવનની આજુબાજુ કલમ 144 લાગુ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીથી અડધો કિલોમીટર દૂર બાબા ગંગનાથ માર્ગ પર હજારોની સંખ્યામાં દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી કર્મચારીઓ તૈનાત છે. પ્રથમ હરોળમાં મહિલા પોલીસ, બીજી હરોળમાં પુરુષ પોલીસ કર્મચારી અને ત્રીજી અને છેલ્લી હરોળમાં કેન્દ્રીય પોલીસ કર્મચારીઓ હાથમાં લાકડીઓ લઈને ઉભા છે. દિલ્હી પોલીસનાં વરિષ્ઠ ડીસીપી અધિકારીઓ અને જોઇન્ટ સીપી કક્ષાનાં આઈપીએસ અધિકારીઓ પણ સ્થળ પર છે. જો બળના ઉપયોગ અંગે કોઈ નિર્ણય લેવો હોય તો તે ઝડપી ગતિએ લઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
