કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કૃષિ કાયદાનાં વિરોધ વચ્ચે વિપક્ષ પર નિશાન સાધ્યું છે. રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે, તેમના ઘોષણાપત્રમાં પણ આ જ બધું હતુ. કોંગ્રેસનો ડબલ ચહેરો બહાર આવ્યો છે. વિપક્ષ વિરોધ માટે પ્રદર્શન કરી રહ્યુ છે.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ખેડૂતોની જમીન ન તો વેચવામાં આવશે કે ન તો બાંધી દેવામાં આવશે. કોંગ્રેસ પણ કૃષિ કાયદામાં એ જ કરતી જે અમે કર્યું. ખેડૂત નિહિત સ્વાર્થનાં ચક્કરમાં ફસાઈ ગયા છે. કેટલાક ખેડૂત સંગઠનોએ ખેડૂતોને લગતા સુધારાને લઈને બનાવેલા કાયદા અંગે શંકા વ્યક્ત કરી છે, તે વિશે ચર્ચા ચાલી રહી છે, જે ચર્ચાની પોતાની પ્રક્રિયા છે. પરંતુ અચાનક જ તમામ વિપક્ષી અથવા ગૈર બીજેપી પક્ષો કૂદી પડ્યા છે.
Opposition parties are opposing the Narendra Modi govt for the sake of opposition, forgetting their own work in the past. In its 2019 poll manifesto, Congress promised to repeal APMC Act & make trade of agriculture produce including export free from all restrictions: RS Prasad https://t.co/sFOz7rUpXi
— ANI (@ANI) December 7, 2020
આજે અમે દેશની સામે વિરોધી પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ, એનસીપી અને તેમના સાથી પક્ષોનાં શરમજનક ડબલ ચરિત્ર દેશની સામે બતાવવા આવ્યા છીએ. આજે, જ્યારે તેમનું રાજકીય અસ્તિત્વ સમાપ્ત થઈ રહ્યું છે, ત્યારે તેઓ તેમના અસ્તિત્વને બચાવવા માટે કોઈપણ વિરોધી આંદોલનમાં જોડાશે.
ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન
TMC નો ખેડૂતનાં ભારત બંધને લઇને સમર્થનનો ઇનકાર
ખેડૂતોનાં સમર્થનમાં રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ – ‘અદાણી-અંબાણી કૃષિ કાયદા રદ કરવા પડશે’
ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન
દિલ્હીનાં CM કેજરીવાલ ખેડૃૂતોની માંગણીઓનાં સમર્થનમાં, જાણો શું કહ્યુ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
