Breaking News: અમરેલી(Amreli)ના શાસ્ત્રીનગર (Shastri Nagar) વિસ્તારમાં પ્લેન ક્રેશ (plane crash) થવાની ઘટના સામે આવી છે. આ ઘટના બનતા લઇ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે. આપને જણાવી દઈએ ગિરિયા રોડ પર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું છે જેમાં પ્લેનમાં સવાર 1 વ્યક્તિના મોતની શંકા સેવાઇ રહી છે.


જે એક ખાનગી કંપની દ્વારા સંચાલિત હતું, અને તેનો ઉપયોગ પાયલોટ તાલીમ માટે થતો હતો. આ અકસ્માતમાં વિમાનમાં ફક્ત એક જ વ્યક્તિ હતો, જેનું કમનસીબે મૃત્યુ થયું હતું.વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે.

વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. આ ઘટના અંગે સ્થાનિક લોકોમાં ચિંતા વધી રહી છે અને અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનું વચન આપ્યું છે.
આ પણ વાંચો:જામનગરમાં પ્લેન ક્રેશ મામલે IAFની પ્રતિક્રિયા આવી સામે
આ પણ વાંચો:મધ્યપ્રદેશના શિવપુરીમાં એરફોર્સનું મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ, પાયલટ સુરક્ષિત
આ પણ વાંચો:દક્ષિણ સુદાનમાં પ્લેન ક્રેશ, 20ના મોત,મૃતકોમાં બે ચીની અને એક ભારતીયનો સમાવેશ

