વડા પ્રધાન મોદી આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધન કરી રહ્યા છે. આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 65 મી ‘મન કી બાત‘ છે.
જાણો શું કહી રહ્યા છે વડા પ્રધાન મોદી
કોરોના સંકટનાં આ યુગમાં, મેં વિશ્વનાં ઘણા નેતાઓ સાથે વાત કરી છે. આ દિવસોમાં વિશ્વનાં ઘણા નેતાઓ યોગ અને આયુર્વેદમાં ખૂબ રસ લઇ રહ્યા છે. દરેક જગ્યાએ લોકો યોગ અને તેના આયુર્વેદ વિશે પણ વધુ જાણવા ઇચ્છતા હોય છે. ઘણા લોકો જેમણે ક્યારેય યોગ નથી કર્યો તે ઓનલાઇન યોગ વર્ગોમાં પણ જોડાયા છે અથવા ઓનલાઇન વિડીયો દ્વારા પણ યોગ શીખી રહ્યા છે.
મિત્રો, આજે આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છીએ, તેનાથી દેશને ભૂતકાળમાં જે બન્યું તેનું અવલોકન કરવાની અને ભવિષ્ય માટે શીખવાની તક મળી છે. આજે, આપણા મજૂરોનાં દુઃખમાં, દેશનાં પૂર્વ ભાગનાં દુઃખને આપણે જોઈ શકીએ છીએ. તે પૂર્વી ભાગનો વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે આપણા રેલ્વે સાથીઓ રાત-દિવસ આ સંકટમાં પણ રોકાયેલા છે. કેન્દ્રિય, રાજ્ય, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ, રાત-દિવસ મહેનત કરી રહ્ય છે. આજે રેલ્વેનાં ક્રમચારીઓ જે રીતે એકત્રીત થઈ રહ્યા છે, તે પણ આગળની હરોળમાં ઉભા રહીને તે પણ કોરોના યોદ્ધાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.