મુંબઈથી લખનઉ જતી ફ્લાઈટમાં ત્યારે હોબાળો મચી ગયો જ્યારે 27 વર્ષીય પેસેન્જરે કહ્યું કે તેની સીટ નીચે બોમ્બ રાખવામાં આવ્યો છે. પેસેન્જરે આ વાત કરતા જ એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ અને ફ્લાઈટમાં ડરનો માહોલ ફેલાઈ ગયો.
શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં, મુંબઈથી લખનઉની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા 27 વર્ષના મોહમ્મદ અયુબે કહ્યું કે તેની સીટ નીચે બોમ્બ મુકવામાં આવ્યો હતો. આ પછી તમામ એજન્સીઓએ તપાસ શરૂ કરી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફ્લાઈટનો ફ્લાઈંગ ટાઈમ બદલાઈ ગયો હતો અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
એક અધિકારીએ કહ્યું કે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. સૂત્રોએ જણાવ્યું કે મુંબઈથી લખનઉ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 5264માં બેઠેલા એક મુસાફરે આ વાત કહી હતી.
મુસાફરની અટકાયત
એરપોર્ટ પોલીસે મુસાફર અયુબની અટકાયત કરી અને તેની સામે IPCની કલમ 506(2) અને 505(1)(B) હેઠળ કેસ નોંધ્યો. પોલીસે કહ્યું કે તેઓ આ એંગલથી તપાસ કરી રહ્યા છે કે મુસાફરે આવું કેમ કર્યું.
આ પણ વાંચો:Bihar Politics/બક્સરમાં કાર્યક્રમથી તેજસ્વી યાદવે રાખ્યું અંતર, ગેસ્ટ લિસ્ટમાં હતું નામ, પહોંચ્યા CM નીતિશ
આ પણ વાંચો:Be Alert!/શું તમને પણ મળી રહી છે આવી ઓફર?? તરત જ થઇ જાઓ સાવધાન…
આ પણ વાંચો:Rahul Gandhi/સિલીગુડીમાં ‘ન્યાય યાત્રા’ને મંજૂરી ન આપવા પર ભાજપે કહ્યું, ‘ટીએમસીએ કોંગ્રેસની મજાક ઉડાવી’