New Delhi: ત્રીજી વખત પીએમ પદ સંભાળ્યા બાદ વડાપ્રધાન કાર્યાલય (PMO)ના અધિકારીઓને સંબોધતા મોદીએ લક્ષ્ય હાંસલ કરવા માટે નિશ્ચય અને સખત મહેનત પર પણ ભાર મૂક્યો હતો અને કહ્યું કે તેમનું કાર્યાલય જનતાનું PMO(વડાપ્રધાન કાર્યાલય) હોવું જોઈએ, મોદીનું નહીં.
દેશમાં પીએમઓની છબી પાવર સેન્ટરની
વડાપ્રધાને કહ્યું કે, 10 વર્ષ પહેલા આપણા દેશમાં છબી એવી હતી કે પીએમઓ પાવર સેન્ટર છે. એક વિશાળ શક્તિ કેન્દ્ર. પરંતુ, હું સત્તા માટે જન્મ્યો નથી. હું સત્તા મેળવવા વિશે વિચારતો નથી. અમે 2014 થી લીધેલા પગલાંના ભાગ રૂપે, અમે તેને ઉત્પ્રેરક એજન્ટ તરીકે વિકસાવવાનો પ્રયાસ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય અહીંથી નવી ઉર્જા ઉત્પન્ન કરવાનો છે, જે સમગ્ર સિસ્ટમને નવો પ્રકાશ આપશે. પીએમઓ લોકોનું પીએમઓ(પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ) હોવું જોઈએ. આ મોદીનું પીએમઓ ન હોઈ શકે.
સમગ્ર દેશને પીએમઓની ટીમ પર વિશ્વાસ છે
પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, જેઓ તેમની ટીમનો ભાગ છે તેમની પાસે ન તો સમયની કમી છે કે ન તો વિચારોની. સમગ્ર દેશને આ ટીમ પર વિશ્વાસ છે. વડાપ્રધાને તેમની ટીમનો ભાગ બનેલા લોકોનો આભાર માન્યો. મોદીએ કહ્યું કે ભારતના 140 કરોડ લોકો હંમેશા તેમના મનમાં રહે છે અને તેઓ તેમને ભગવાન માને છે.
આ પણ વાંચો: રવિવારે રજા મેળવવા ભારતીયોનો રહ્યો છે લાંબો સંઘર્ષ…
આ પણ વાંચો: અપહરણ, ખંડણી અને હત્યા… મેરઠનો ચકચાર મચાવતો કિસ્સો