કેબિનેટ સમિતિની બેઠક : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક બોલાવી છે. વડાપ્રધાનના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર સાંજે 6.30 વાગ્યે બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં અફઘાનિસ્તાનની તાજેતરની સ્થિતિ પર ચર્ચા થઈ રહી છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ હાજર છે. વિદેશ મંત્રી એસ જયશંકર અમેરિકામાં હોવાથી તેઓ બેઠકમાં નથી.
સુરક્ષા બાબતો પર કેબિનેટની આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ સામેલ છે. એનએસએ અજીત ડોભાલ દ્વારા અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગેની હકીકતો વિગતવાર રજૂ કરવામાં આવી રહી છે. બેઠકમાં પ્રાદેશિક રાજકીય, વ્યૂહાત્મક અને રાજદ્વારી પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ આ ક્ષેત્રના તમામ મોટા દેશો સાથે સતત સંપર્કમાં છે. અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને અશરફ ગની દેશ છોડ્યા બાદ નવી સરકાર કેવી હશે તે હજુ સ્પષ્ટ નથી.
અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે સતત પ્રયાસો ચાલુ છે. આજે ભારતીય વાયુસેનાનું વિમાન 150 ભારતીયોને લઈને દેશમાં પહોંચી ગયું છે. ભારતીયોને બહાર કાઢવામાં પડકારો પણ વિગતવાર કેબિનેટ સમક્ષ મૂકવામાં આવ્યા છે. બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે અફઘાનિસ્તાનમાંથી તમામ ભારતીયોને બહાર કાવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.
કાબુલમાં પરિસ્થિતિ અને તમામ રાજદ્વારીઓને ત્યાંથી કાઢવાનો નિર્ણય અને તેના પડકારો પણ કેબિનેટની બેઠકમાં વિગતવાર સમજાવવામાં આવ્યા હતા. અત્યારે દેશ ઝડપથી બદલાતી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યો છે.
અફઘાનિસ્તાન / આ 5 ખૂંખાર ચલાવશે તાલિબાન સરકાર, કોઈ આત્મઘાતી હુમલાનો માસ્ટર માઇન્ડ તો કોઈ છે મહિલા અધિકારોના દુશ્મન છે
અફઘાનિસ્તાન / આ 5 ખૂંખાર ચલાવશે તાલિબાન સરકાર, કોઈ આત્મઘાતી હુમલાનો માસ્ટર માઇન્ડ તો કોઈ છે મહિલા અધિકારોના દુશ્મન છે
રાજકીય / કોરોનાના લક્ષણ હોય, RTPCR રિપોર્ટ નેગેટીવ હોય અને સારવાર દરમિયાન મૃત્યુ થાય તો તેના અનાથ થયેલા બાળકોનું શું ? : કોંગ્રેસ