New Delhi News: બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સુશીલ કુમાર મોદીનું ગઈકાલે રાત્રે દિલ્હીમાં 72 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને છ મહિના અગાઉ કેન્સર હોવાનું નિદાન થયું હતું. ભાજપના દિગ્ગજ નેતાના નિધનથી વડાપ્રધાન સહિત ઘણા મોટા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુશીલ કુમાર મોદીના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે, “સુશીલ મોદીજીના અકાળ અવસાનથી ખૂબ જ દુઃખી છે. સુશીલ મોદીને તેમના “પાર્ટીમાં મૂલ્યવાન સાથી” અને “દશકોના મિત્ર” ગણાવ્યા. બિહારમાં ભાજપના ઉદય અને સફળતામાં તેમણે અમૂલ્ય ભૂમિકા ભજવી છે. કટોકટીનો સખત વિરોધ કરીને, તેમણે વિદ્યાર્થી રાજકારણ (સ્ટુડન્ટ પોલિટિક્સ)માં પોતાનું નામ બનાવ્યું. તેઓ ખૂબ જ મહેનતુ અને મિલનસાર ધારાસભ્ય તરીકે જાણીતા હતા. તેમને રાજનીતિ સાથે જોડાયેલા મુદ્દાઓની ઊંડી સમજ હતી,” પીએમ મોદીએ કહ્યું.
વડાપ્રધાને ઉમેર્યું હતું કે, “તેમણે પ્રશાસક તરીકે પણ ઘણું પ્રશંસનીય કામ કર્યું છે. GST પસાર કરવામાં તેમની સક્રિય ભૂમિકા હંમેશા યાદ રાખવામાં આવશે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે.’’
पार्टी में अपने मूल्यवान सहयोगी और दशकों से मेरे मित्र रहे सुशील मोदी जी के असामयिक निधन से अत्यंत दुख हुआ है। बिहार में भाजपा के उत्थान और उसकी सफलताओं के पीछे उनका अमूल्य योगदान रहा है। आपातकाल का पुरजोर विरोध करते हुए, उन्होंने छात्र राजनीति से अपनी एक अलग पहचान बनाई थी। वे… pic.twitter.com/160Bfbt72n
— Narendra Modi (@narendramodi) May 13, 2024
સુશીલ કુમાર મોદીના નિધન પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઘેરો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટર પર પોસ્ઠ શૅર કરી લખ્યું છે કે, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા સુશીલ મોદીજીના નિધન પર તેમના પરિવારના સભ્યો અને સમર્થકો પ્રત્યે ઊંડી સંવેદના. અમારી વિચારધારા અલગ હતી, પરંતુ લોકશાહીમાં દેશનું હિત સર્વોપરી છે. તેમણે GST કાઉન્સિલમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
बिहार के पूर्व उपमुख्यमंत्री व वरिष्ठ नेता, श्री सुशील मोदी जी के निधन पर उनके परिवारजनों व समर्थकों के प्रति गहरी संवेदनाएँ।
हमारी विचारधारा अलग थी, पर लोकतंत्र में देश हित सर्वोपरि होता है। उन्होंने GST कॉउंसिल में अपना महत्वपूर्ण योगदान दिया था।
ईश्वर दिवंगत आत्मा को शांति…
— Mallikarjun Kharge (@kharge) May 14, 2024
આ પણ વાંચો: સીબીએસઈનું 10મા ધોરણનું 93.60 ટકા પરિણામ
આ પણ વાંચો: શેરબજાર પર ગૃહમંત્રી અમિતશાહે આપ્યું મોટું નિવેદન ‘4 જૂન પછી સુસ્ત બજારમાં જોવા મળશે સારી તેજી’
આ પણ વાંચો: ભારત અને ઇરાન વચ્ચે ચાબહાર પોર્ટ મામલે આજે થશે મહત્વનો નિર્ણય, પ્રથમ વખત કરશે ભારત પોર્ટનું સંચાલન