Not Set/ PM મોદી, જામા મસ્જીદનાં ઇમામ સહિત મહાનુભવોની શાંંતિ જાળવવા અપીલ

આજે શનિવારે જ્યારે સુપ્રીમમાં અયોધ્યા કેસનો ચૂંકાદો સંભળાવવામાં આવશે ત્યારે દેશભરમાં સુરક્ષાનાં પુખ્તા પ્રબંઘ તો કરવામાં આવ્યા જ છે. પરંતુ આ મામલો બનેં પક્ષકારો અને ખાસ કરીને બનેં કોમોની આસ્થાનો મામલો હોવાનાં કારણે અનેક મહાનુભવો દ્વારા ચૂકાદાની પૂર્વ સંધ્યાએ લોકોને અપીલ કરવામાં આવી છે કે, ચૂકાદો ગમે તે હોય પરંતુ ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખી શાંતિ […]

Top Stories India

આજે શનિવારે જ્યારે સુપ્રીમમાં અયોધ્યા કેસનો ચૂંકાદો સંભળાવવામાં આવશે ત્યારે દેશભરમાં સુરક્ષાનાં પુખ્તા પ્રબંઘ તો કરવામાં આવ્યા જ છે. પરંતુ આ મામલો બનેં પક્ષકારો અને ખાસ કરીને બનેં કોમોની આસ્થાનો મામલો હોવાનાં કારણે અનેક મહાનુભવો દ્વારા ચૂકાદાની પૂર્વ સંધ્યાએ લોકોને અપીલ કરવામાં આવી છે કે, ચૂકાદો ગમે તે હોય પરંતુ ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખી શાંતિ જાળવવો.

જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય: PM મોદી

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, અયોધ્યા પર સુપ્રિમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય. દેશવાસીઓને અપીલ કરું છું કે આપણી પ્રાથમિકતા રહે કે ફેંસલો ભારતની શાંતિ, એકતા અને સદભાવનાની મહાન પરંપરાને વધુ મજબૂત કરે.

જામા મસ્જિદના શાહી ઇમામની શાંતિ આપીલ

દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ, સૈયદ અહમદ બુખારીએ સંભવિત અયોધ્યાના ચુકાદા પહેલા નિવેદન જારી કરતાં કહ્યું છે કે, ‘જોકે બંને પક્ષે જુસ્સો ઉંચો ચાલી રહ્યો છે, પરંતુ હું ભારતીય અંતકરણને(મુસ્લીમ સમુદાયને) સંયમ રાખવા અને ન્યાયતંત્રમાં વિશ્વાસ દર્શાવવા વિનંતી કરું છું’.

યુપીના સીએમ યોગી આદિત્યનાથે શાંતિ માટે હાકલ કરી છે

અયોધ્યા ચૂકાદો કોઇની જીત કે હાર તરીકે ન જોઇ, શાંતિ જાળવવાની હાલક કરતા CM યોગી

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન