ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીનો આજે 95મો જન્મદિવસ છે. આ અવસર પર પીએમ મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ અડવાણીના ઘરે ગયા અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અડવાણી સાથે મુલાકાત કરવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આજે 95 વર્ષના થયા છે.વડાપ્રધાન મોદીએ અડવાણીને જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યાં હતાં. બાદમાં મોદીએ તેમની સાથે બેસીને ચર્ચા પણ કરી હતી.લાંબા આયુષ્યની કામના પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી દર વર્ષે લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસ પર તેમને શુભકામના પાઠવવા તેમના ઘરે પહોંચતા રહ્યા છે અને તેમની આ પરંપરા જાળવી રાખી છે