31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા અને આ મુલાકાતમાં તેઓ કેવડીયા જવાના છે. પરંતુ આ મુલાકાત પહેલા જ કેવડીયાથી કોરોના વાયરસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.
કેવડિયામાં પ્રધાનમંત્રીની સુરક્ષા પહેલા જ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓના કોરોના ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 10 જવાનોનો રિપોર્ટ પોઝીટીવ આવતા હડકંપ મચી ગયો છે.
આ પણ વાંચો : શિક્ષણ જગતને લાગ્યું લાંછન, શાળાના આચાર્યએ વિદ્યાર્થીની સાથે કર્યું કઈ એવું કે…
આપને જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદી કેવડિયા કોલોની ખાતે સી પ્લેનમાં બેસી અમદાવાદ આવના છે, ત્યારે આ પહેલા અ સ્થળે જવાના હોવાથી ત્યાં સુરક્ષાનો હવાલો સંભાળતા જવાનોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં દસ જવાન કોરોના પોઝિટિવ હોવાનું જણાતા વહીવટીતંત્ર હરકતમાં આવી ગયુ હતુ.
આ તમામ 10 જવાનોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હવે તેમને રાજપીપળા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : રવિશંકરે કહ્યું – કોંગ્રેસના નેતાઓ ભારત કરતા પાકિસ્તાન ટીવી પર વધારે જોવા મળે છે