Not Set/ PM મોદી આજે સોમનાથમાં નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી ઉદ્વઘાટન કરશે

ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે રૂ. 30. 55  કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી ઉદ્વઘાટન કરશે

Top Stories Gujarat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત વર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે રૂ. 30. 55  કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી ઉદ્વઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. ઉપરાંત સોમનાથ ખાતે રાજ્ય સરકારના માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં તા.21-01-2022ના રોજ સવારે 10 કલાકે આ ઉદ્ધઘાટન સમારોહ યોજાશે

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી ભારત વર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથ ખાતે રૂ. 30.55 કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનું બુધવારે ઉદ્વઘાટન કરાવશે. સોમનાથમાં માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ યોજાશે.