વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ 10 નવેમ્બરનાં રોજ ઓનલાઈન યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) સમિટમાં મળવાની સંભાવના છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે, વડા પ્રધાન મોદી શિખર સમ્મેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.
વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, “10 નવેમ્બરનાં રોજ ઓનલાઈન ફોર્મેટમાં યોજાનારી એસસીઓની રાષ્ટ્ર પ્રમુખની 20 મી સમિટમાં વડા પ્રધાન ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.” આ બેઠકની અધ્યક્ષતા રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કરશે. ” ચીનનાં પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રાષ્ટ્રપતિ ચિનપિંગ કરી શકે છે.