વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી અને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી હતી. કેજરીવાલ મંગળવારે 54 વર્ષના થયા. તેમણે શુભેચ્છાઓ માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જન્મદિવસની શુભેચ્છા. હું તેમને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું.”
Birthday greetings to Delhi Chief Minister Shri @ArvindKejriwal Ji. I pray for his long life and good health.
— Narendra Modi (@narendramodi) August 16, 2022
વડાપ્રધાનની ઈચ્છાનો જવાબ આપતા કેજરીવાલે ટ્વિટર પર લખ્યું, “આભાર સર.” 16 ઓગસ્ટ 1968ના રોજ હરિયાણાના ભિવાનીમાં જન્મેલા કેજરીવાલ દિલ્હીના સાતમા મુખ્યમંત્રી છે. તેઓ દિલ્હી અને પંજાબની સત્તારૂઢ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર પણ છે.
કેજરીવાલ આજે ગુજરાત જશે
કેજરીવાલ આજે (મંગળવાર) એક દિવસની મુલાકાતે ગુજરાત આવશે અને કચ્છ જિલ્લાના ભુજ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે. પાર્ટીના એક નેતાએ સોમવારે અહીં આ જાણકારી આપી છે. AAP નેતા અરવિંદ કેજરીવાલની એક મહિનામાં આ ચોથી ગુજરાત મુલાકાત છે. રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે. AAPના ગુજરાત યુનિટના મહાસચિવ મનોજ સોરઠિયાએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, “કેજરીવાલ મંગળવારે ગુજરાત આવશે. તેઓ ભુજમાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને એક કાર્યક્રમમાં ભાગ લેશે. ભુજમાં તેઓ રાજ્યના લોકો માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરશે. ચૂંટણી સંદર્ભે આગેવાનો સાથે બેઠક પણ કરશે.
આ પણ વાંચો:ભારતમાં નવા COVID-19 કેસમાં 40.9% ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 8813 કેસ
