Corona Cases/ ભારતમાં નવા COVID-19 કેસમાં 40.9% ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 8813 કેસ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતના 8,813 નવા કેસ નોંધાયા છે

Top Stories India
COVID-19

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતના 8,813 નવા કેસ નોંધાયા છે. રિપોર્ટ અનુસાર 15,040 લોકો સાજા થયા છે. દેશમાં હાલમાં કોરોનાના 1,11,252 સક્રિય કેસ છે અને દૈનિક હકારાત્મકતા દર 4.15% છે.

ગઈકાલના કેસ સાથે આજના આંકડાની સરખામણી કરીએ તો ગઈકાલની સરખામણીમાં આજે કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. 24 કલાકમાં દેશમાં કોરોનાના 6 હજાર કેસમાં ઘટાડો થયો છે. ગઈકાલે એટલે કે 15 ઓગસ્ટે 14,917 નવા કેસ નોંધાયા હતા, 14 ઓગસ્ટે 14,092 નવા દર્દીઓ નોંધાયા હતા. 12 ઓગસ્ટ 16,561ના રોજ, 11 ઓગસ્ટના રોજ 16,299 નવા કેસ નોંધાયા હતા. રિપોર્ટ અનુસાર, 9 ઓગસ્ટે 12,751 નવા કેસ, 8 ઓગસ્ટે 16167, 7 ઓગસ્ટના રોજ 18,738 નવા કેસ, 6 ઓગસ્ટના રોજ 19,406 નવા કેસ, 4 ઓગસ્ટે 19,893 નવા કેસ અને 3 ઓગસ્ટના રોજ 17,135 નવા કેસ નોંધાયા હતા.

દિલ્હીમાં કોરાના કેસ

રાજધાની દિલ્હીમાં પણ ફરી એકવાર કોરોના સંક્રમણની ઝડપ વધી છે. 15 ઓગસ્ટના રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં અહીં 1227 નવા કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે 8 લોકોના મોત થયા છે. આ સાથે રાજધાનીમાં કોરોનાના 7519 એક્ટિવ કેસ છે. દિલ્હી સરકારના હેલ્થ બુલેટિન મુજબ હાલમાં કોરોના પોઝિટીવીટી રેટ વધીને 14.57 ટકા થઈ ગયો છે. 2130 લોકો સાજા પણ થયા છે.

મુંબઈમાં કોરોના કેસ

મુંબઈમાં ઘણા દિવસોથી કોરોનાવાયરસના 800 થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે 16 ઓગસ્ટના રોજ મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 584 નવા કેસ નોંધાયા બાદ હવે શહેરમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા વધીને 11 લાખ 33 હજાર 172 થઈ ગઈ છે.  ચેપથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 19 હજાર 664 છે. છેલ્લા 24 કલાકમાં અહીં 407 દર્દીઓ સંક્રમણથી સાજા પણ થયા છે. જે બાદ શહેરમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 11 લાખ 8 હજાર 290 થઈ ગઈ છે. હાલમાં, મહાનગરમાં 5,218 સક્રિય દર્દીઓ છે જેઓ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદ, ફરી એકવાર નદીનાળા છલકાયા