બીજેડીનાં સાંસદ પિનાકી મિશ્રાએ પીએમસી બેંકમાં નાણાકીય કૌભાંડ અને ખાતામાં પૈસા જમા કરનારા ખાતાધારકોનાં નાણાંના મુદ્દે કહ્યું હતું કે, હજારો ખાતાધારકોનું લોહી અને પરસેવાની મહેનત કમાણી બેંકમાં અટવાયેલી છે અને સરકારે આ દિશામાં કોઈ પગલું ભરવું જોઈએ.
સીતારમણે કહ્યું કે સરકાર PMC બેંક મામલાનાં વિકાસથી સંપૂર્ણ વાકેફ છે. અને નાના થાપણદારો, જેઓ આશરે 78 ટકા છે તેમને આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ આખી રકમ પરત ખેંચવાની છૂટ આપવામાં આવી છે. આ સિવાય જો કોઈ એકાઉન્ટ ધારકને કોઈ ગંભીર બીમારી છે અથવા તેનાં પરિવારમાં કોઇ બીમાર છે અથવા પરિવારમાં લગ્ન છે અથવા શિક્ષણ માટે પૈસાની જરૂરીયાત છે, તો તે એક લાખ રૂપિયા સુધી ઉપાડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.