એન્ટીગુઆનાં PM ગૈસ્તન બ્રાઉને મેહુલ ચોકસીની નાગરિકતા રદ કરીને તેને ભારતને સોંપવાની જાહેરાત કરી છે. એન્ટીગુઆના માધ્યમાં પ્રગટ થયેલા અહેવાલો પરથી મળતી માહિતી અનુસાર બ્રાઉનને કહેવું છે કે “એવું નથી કે આમે કે અમારી સરકાર આર્થિક અપરાધીઓ માટે સુરક્ષા ઉપલ્બ્ધ કરવાનના પ્રયાસો કરી રહ્યાં છીએ. અમે નક્કી કરવામા આવેલી પ્રક્રિયાનું પાલન કરીએ છીએ. ભારત સરકારને આ અંગે જણાવી દેવાયું છે. અપરાધીઓના પણ મૂળભૂત અધિકાર હોય છે. ચોકસીનો કેસ હાલ કોર્ટમાં છે. પરંતુ, હું વિશ્વાસ અપાવી શકું છું કે, તમામ કાયદાકીય વિકલ્પ ખતમ થયા બાદ તેનું પ્રત્યપર્ણ કરી તેને ભારતને સોંપી દેવામા આવશે.
આપને જણાવી દઇએ કે મેહુલ ચોક્સી પર ભારતની રાષ્ટ્રીયકૃત બેંકનાં 13700 કરોડ રૂપિયા ઓળવી જવા જેવા ગંભીર મામલાઓ બાબતે ફરિયાદ થયેલી છે. PNB કૌભાંડનો આરોપી મેહુલ ચોક્સી ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કૌભાંડનો ઘટસ્ફોટ થતા પહેલા જ વિદેશ ભાગી ગયો હતો. તેને જાન્યુઆરી 2018માં જ એન્ટીગુઆ અને બારબુડાની સિટિઝનશીપ બાય ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ(CIP)હેઠળ ત્યાંની નાગરિકતા મેળવી હતી. ભારતીય એજન્સીઓ તેના પ્રત્યાપર્ણના પ્રયાસમાં લાગેલી છે. એન્ટીગુઆની કોર્ટમાં મેહુલના કેસમાં આગામી મહિને સુનાવણી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.