જેતપુર
જેતપુર મગફળના કૌભાંડ મામલે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ મોટુ નિવેદન આપ્યું છે. આર.સી.ફળદુએ મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું કે, જેતપુર મગફળી કૌભાંડમાં ગમે તે હશે તેના સામે કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વનું છે કે રાજકોટના જેતપુરના મગફળીના ગોડાઉનના મગફળીની ગુણીમાંથી મોટી માત્રામાં માટીના ઢેફા નીકળ્યા હતા અને ત્યાર બાદ ગુજકોટએ આ મામલે પોલીસ ફરિયાાદ નોંધાવી હતી.
આ સાથે ફળદુએ ઉમેર્યું હતું કે ખેતી વાડી વિભાગે નકલી બિયારણ વેચનારા વેપારીઓની પણ ધરપકડ કરી છે. જેમાં 13 જેટલા સ્થળ પર રેડ કરવામાં આવી હતી અને 21 જેટલા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી માહિતી આપી હતી.