Surat News/ સુરતના શિવશક્તિ માર્કેટનાં વેપારીઓને 8.63 કરોડનો માલ પોલીસે પરત કર્યો

અધિકારીઓ અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. 

Top Stories Gujarat Surat

Surat News: સુરત (Surat)ના શિવશક્તિ માર્કેટ (Shivshakti Market)માં આગ લાગ્યા બાદ પોલીસ અને ફાયર વિભાગે સાથે મળીને કામ કરી રહી છે. સલાબતપુરા પોલીસ અને ફાયર બ્રિગેડે સમગ્ર ઘટનાને સંભાળવા માટે સખત મહેનત કરી અને વેપારીઓને 8.63 કરોડનો માલ પરત કર્યો છે.

સુરત ફાયર વિભાગે બજારમાંથી મોટી માત્રામાં સાડીઓ અને કપડાં જપ્ત કર્યા છે. સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ બાદ વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું કહેવાય છે. આગ લાગ્યા પછી, બજારમાંથી મોટી માત્રામાં સાડીઓ અને કપડાં મળી આવ્યા હતા. રૂપિયા 8.63 કરોડ રૂપિયાથી વધુનો માલ વેપારીઓને પરત કરવામાં આવ્યો છે, જ્યારે બજારમાંથી 52 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે.

ફાયર વિભાગે 1 કિલોગ્રામ અલગ અલગ ચાંદીના સિક્કા જપ્ત કર્યા હતા. 3 દિવસમાં કુલ 91 દુકાનો પર કરવામાં આવેલી કામગીરીમાં  262 કોમ્પ્યુટર, પ્રિન્ટર, ચેકબુક, દસ્તાવેજો, બિઝનેસ ફાઇલો અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કર્યા હતા. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ બે દિવસ બાદ કાબૂમાં આવી હતી અને અધિકારીઓ અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

મળતી માહિતી અનુસાર શિવશક્તિ માર્કેટમાં કાપડ વેપારીઓને 1000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થવાની શક્યતા છે. સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ બાદ મોટા પાયે તપાસ શરૂ થઈ છે, જેમાં પોલીસે 831 દુકાનોમાં પંચનામાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ બેકાબૂ

આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ

આ પણ વાંચો:અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ