Not Set/ 35.50 લાખ અન્નદાતાઓને મળશે 1600 કરોડની રાહત, પીએમ મોદી આજે MPના ખેડૂતોને સંબોધશે

કિશાન આંદોલન આજે 23માં દિવસમાં પ્રવેશવા છતા જેની તે સ્થિતિએ જોવામાં આવી રહ્યું છે. સરકારનું કહેવુ છે કે કૃષી કાયદા ખેડૂતનાં ફાયદામાં છે અને છતા જો કોઇ ફેરફાર કરવાની કિશાનોની ઉચ્છા છે

Top Stories India

કિશાન આંદોલન આજે 23માં દિવસમાં પ્રવેશવા છતા જેની તે સ્થિતિએ જોવામાં આવી રહ્યું છે. સરકારનું કહેવુ છે કે કૃષી કાયદા ખેડૂતનાં ફાયદામાં છે અને છતા જો કોઇ ફેરફાર કરવાની કિશાનોની ઉચ્છા છે તો તે વાતાધાટ કરી સરકાર કરી આપવા તૈયાર છે, પરંતુ કાયદાઓ રદ્દ તો નહી જ થાય. અને સામે ખેડૂતોની એક જ માંગ છે કે, કૃષી કાયદા રદ્દ કરવામાં આવે. તમામ હકીકતો વચ્ચે PM મોદી આજે ખેડૂતોને સંબોધન કરવા જઇ રહ્યા છે.

મધ્યપ્રદેશમાં આજે કે શુક્રવારે યોજાનારા કિસાન સંમેલનમાં રાજ્યના આશરે 35.50 લાખ ખેડુતોના ખાતામાં રૂ. 1600 કરોડની રાહત રકમ ઉમેરવામાં આવશે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ રાજ્યના ખેડૂતોને સંબોધન કરશે. મધ્યપ્રદેશ જનસંપર્ક વિભાગના એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ચૌહાણે 18 ડિસેમ્બરે રાજ્યમાં ચાર-સ્તરના ખેડૂત કલ્યાણ કાર્યક્રમો અને પરિષદો અંગે વિડીયો કોન્ફરન્સ દ્વારા વિગતવાર સૂચના આપી હતી.

તેમણે કહ્યું કે રાજ્ય કક્ષાની સામાન્ય પરિષદ રાયસેનમાં યોજાશે, જેમાં મુખ્યમંત્રી ચૌહાણ શામેલ હશે. અન્ય પરિષદો જિલ્લા, વિકાસ બ્લોક અને ગ્રામ પંચાયત કક્ષાએ થશે. અધિકારીએ જણાવ્યું હતું કે ‘ખેડૂતોની પરિષદોમાં ખરીફ 2020 માં પાકના નુકસાન પેટેનાં ખેડૂતોના ખાતામાં રૂ. 1600 કરોડની રાહત રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. આ રાહતનો આશરે 35.50 લાખ ખેડુતોને લાભ મળશે.

તેમણે કહ્યું કે મુખ્ય પ્રધાન રાયસેનમાં રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેશે, જેમાં આશરે 20,000 ખેડુતો શામેલ હશે. અન્ય જિલ્લાઓમાં મંત્રી આ કાર્યક્રમોમાં ખેડૂતોને રાહતની રકમનું વિતરણ કરશે. બ્લોક અને ગ્રામીણ કક્ષાએ પણ આવા જ કાર્યક્રમો યોજાશે. અધિકારીએ કહ્યું કે કોવિડ -19 રોગચાળાને લીધે મુખ્યમંત્રીએ આદેશ પણ આપ્યો કે આ ખેડૂત કલ્યાણ કાર્યક્રમો અને પરિષદોએ સામાજિક અંતર જાળવવા નિયમોનું પાલન કરવું જોઈએ. બધા ખેડુતોએ માસ્કનો ઉપયોગ કરવો જ જોઇએ.

તેમણે કહ્યું, “મુખ્યમંત્રીના સંબોધન પછી વડા પ્રધાન મોદી બપોરે બે વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા ખેડૂતોને સંબોધન કરશે.” અધિકારીએ જણાવ્યું હતું કે આ પરિષદોમાં ખેડુતોને નવા કૃષિ કાયદાની લાભદાયી જોગવાઈઓ વિષે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવશે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…