દેશમાં કોરોના સંક્રમણનાં કેસો પર નિયંત્રણની સ્થિતિ બની રહી છે. આજે દેશમાં એક જ દિવસમાં કુલ 32,937 નવા કેસ નોંધાયા છે. આ સિવાય એક દિવસમાં 417 લોકોનાં મોત થયા છે. આ આંકડા સાથે, કોરોનાથી મૃત્યુઆંક હવે વધીને 4,31,642 થયો છે. દેશમાં સક્રિય કેસોની કુલ ટકાવારી હવે 1.18% છે, જે માર્ચ 2020 પછીનું સૌથી નીચું સ્તર છે. આ સિવાય, સક્રિય કેસોની સંખ્યા પણ 145 દિવસમાં સૌથી ઓછી થઈ ગઈ છે. અત્યારે દેશમાં કોરોનાનાં 3,81,947 સક્રિય કેસ છે.
આ પણ વાંચો – આતંકનો ઓછાયો / અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનની શરૂઆત ભારત માટે સારો સંકેત નથીઃ CM અમરિંદર સિંહ
દેશમાં કુલ કેસોની વાત કરીએ તો સંખ્યા હવે 3.22 કરોડ સુધી પહોંચી ગઈ છે. જેમાંથી 4.31 લાખ મૃત્યુ પામ્યા છે, જ્યારે 3.14 કરોડ લોકો ઠીક થયા છે. વળી, કેરળમાં પરિસ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં, ત્યાં 18,582 કેસ નોંધાયા છે. બીજા શબ્દોમાં કહીએ તો, દેશમાં કુલ કેસોમાંથી માત્ર અડધા કેસ કેરળથી આવી રહ્યા છે. આ સિવાય ત્યાં 102 લોકોનાં મોત પણ થયા છે. બીજી બાજુ, કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં સ્થિતિ સુધરી રહી છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં માત્ર 4,797 કેસ નોંધાયા છે. આ સિવાય 130 લોકોનાં મોત થયા છે. આવી સ્થિતિમાં, હવે ત્યાં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા વધીને 63.92 લાખ થઈ ગઈ છે, જેમાંથી 1.35 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. આવી સ્થિતિમાં, સક્રિય કેસોની સંખ્યા 64,219 છે.
COVID19 | India reports 32,937 fresh cases, 417 deaths and 35,909 recoveries in the last 24 hours; active cases 3,81,947 pic.twitter.com/AGysBrq6HI
— ANI (@ANI) August 16, 2021
આ પણ વાંચો – મહત્વના સમાચાર / કેરળમાં કોરોનાના વધતા જતા કેસો ને લઈને , આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે રાજ્યની મુલાકાતે
સરકાર રસીકરણ કાર્યક્રમ ઝડપથી ચલાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ દેશમાં હજુ પણ રસીની અછત યથાવત છે. જેના કારણે છેલ્લા 24 કલાકમાં માત્ર 17,43,114 લોકોને રસી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, હવે કુલ રસીકરણનો આંકડો 54,58,57,108 થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, કેરળમાં દિવસે ને દિવસે કેસો વધતા જોવા મળી રહ્યા છે, ત્યારેં કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે કોરોના સામે લડી રહેલા કેરળમાં કોરોનાવાયરસની સમીક્ષા કરવા માટે રાજ્યની મુલાકાત લેશે. રાજ્યમાં કોરોના વાયરસનાં વધતા જતા પ્રકોપને જોઈને, માંડવીયાએ કેરળની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. લગભગ બે અઠવાડિયા પહેલા કેન્દ્રિય આરોગ્ય મંત્રીએ મુખ્યમંત્રી પિનારાયી વિજયન સાથે રોગનાં વધતા જતા કેસો અંગે વાત કરી હતી. રોગચાળાનાં સંચાલનમાં રાજ્ય સરકારનો સહયોગ માંગતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ વિજયનને પત્ર લખીને વાયરસનાં ફેલાવાને નિયંત્રિત કરવા માટે વધુ સક્રિય પગલા લેવાની વિનંતી કરી હતી.
