બોલિવૂડ એક્ટર અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપતા રહે છે. દરેક વખતે કેન્દ્ર સરકારની પ્રશંસા કરનાર અભિનેતા અનુપમ ખેર હવે તેમને તેના પર કટાક્ષ કર્યો છે. અનુપમ ખેરે કહ્યું છે કે, સરકાર લપસી ગઈ છે અને કોરોનાની બીજી લહેર વચ્ચે આ સમયે તેની જવાબદારીઓ સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એક ઇન્ટરવ્યુમાં અનુપમ ખેરે કહ્યું છે કે સરકાર ક્યાંક ઠોકર ખાઈ રહી છે. આ સમયે તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે છબી બનાવવા સિવાય, જીવનમાં બીજી ઘણી વસ્તુઓ છે.
Anupam Kher slams Modi Govt for the first time after 2014
“It is important to hold the government responsible. It is time for them to understand that there is much more to life than just image building”: Actor @AnupamPKher
— Siddharth (@SidKeVichaar) May 12, 2021
આ પણ વાંચો :દેશની મહામારીમાં મદદરૂપ બન્યા અમિતાભ બચ્ચન, વાંચો કેટલી રકમ કરી દાન
જ્યારે અનુપમ ખેરને પૂછવામાં આવ્યું હતું કે સરકારે આ સમયે તેની છબી સુધારવાને બદલે રાહત પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અનુપમ ખેરે ગંગા અને અન્ય નદીઓમાં શબો મળવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અનેક મામલાઓમાં ટીકા લીગલ છે…કોઈ અમાનવીય વ્યક્તિ જ નદીઓમાં વહેતી લાશોથી વિચલિત ન થાય. તેઓએ કહ્યું કે, પરંતુ બીજી પાર્ટીઓનો તેનો પોતાના લાભ માટે ઉપયોગ કરવો, મારા વિચારથી યોગ્ય નથી. મારા હિસાબથી સામાન્ય લોકોની જેમ આપણને ગુસ્સો આવવો જોઈએ. જે થઈ રહ્યું છે તેના માટે સરકારને જવાબદાર ઠેરવવી જરૂરી છે. ક્યાંક ને ક્યાંક તેમનાથી ચૂક થઈ છે. તેના માટે એ સમજવાનો સમય છે કે ઇમેજ બિલ્ડિંગથી વધુ જરૂરી ઘણી બધી બાબતો છે.
આપણા બધાને ગુસ્સે થવાનો અધિકાર છે અને આ પણ મહત્વનું છે. આ સમયે જે બધી બાબતો થઈ રહી છે તેની જવાબદારી સરકારે લેવી જોઈએ.
આ પણ વાંચો :આગામી PM બનવાના સવાલ પર સોનુ સૂદે આપ્યો આ જવાબ, જુઓ વિડીયો
કિરણ ખેરના મોત અંગે ઉડી અફવા
અનુપમ ખેરની પત્ની કિરણ ખેર હાલમાં બ્લડ કેન્સરની સારવાર લઈ રહી છે. તાજેતરમાં તે રસીકરણ કેન્દ્રમાં તેના પતિ સાથે રસીનો બીજો ડોઝ લેવા ગઈ હતી. જે બાદ તેના મોતની અફવાઓ ઉડવાની શરૂઆત થઈ હતી. ચાહકોએ તેને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં અનુપમ ખેરે આ પોસ્ટ્સ શેર કરી હતી અને આ સમાચારની અફવાઓ જણાવી હતી. તેણે લખ્યું – કિરણ વિશે કેટલીક અફવાઓ ઉડી રહી છે. તે બધા ખોટા છે. કિરણ એકદમ ઠીક છે, તેણે કોવિડની બીજી રસી પણ લીધી છે. હું લોકોને વિનંતી કરું છું કે આવી નકારાત્મક સમાચાર ન ફેલાવો. આભાર, સલામત રહો.
આ પણ વાંચો : તારક મહેતા…. સીરીયલના ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી ના પિતા વિનોદ ગાંધીનું કોરોનાના કારણે નિધન

