વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના ખાર્કિવમાં ગોળીબારમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાના પિતા સાથે વાત કરી છે. આપને જણાવી દઈએ કે, વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “ખૂબ દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો. મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.
આ પણ વાંચો:યુક્રેનના રાષ્ટ્રપતિનું મોટુ નિવેદન, રશિયાએ સામાન્ય નાગરિકો પર મિસાઈલ હુમલો કર્યો
નવીન ખાર્કિવમાં એમબીબીએસ કરી રહ્યો હતો અને તેના ચોથા વર્ષમાં હતો. નવીન દુકાને કંઈક લેવા ગયો હતો. આ દરમિયાન હુમલામાં તેનું મોત થયું હતું. કર્ણાટક સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કમિશનર ડૉ. મનોજ રાજને જણાવ્યું હતું કે હાવેરી જિલ્લાના ચલગેરીના વતની નવીન શેખરપ્પા જ્ઞાનગૌદારનું તોપમારોમાં મૃત્યુ થયું હતું. બે દિવસ પહેલા નવીને તેના પિતા સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી, જેનો વીડિયો સામે આવ્યો છે. વાતચીત દરમિયાન નવીનના પિતાએ પુત્રને કહ્યું કે તેઓ પોતાની સંભાળ રાખે અને ત્યાં સાથે રહે. તેણે પુત્રને કહ્યું હતું કે ભારતીય દૂતાવાસ દ્વારા તેને લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Prime Minister Narendra Modi spoke to the father of Naveen Shekharappa, an Indian student who died in shelling in Kharkiv, Ukraine this morning.
(File pic) pic.twitter.com/OEXXs7XjiD
— ANI (@ANI) March 1, 2022
ખાર્કિવમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે
ઘણા ભારતીયો હજુ પણ ખાર્કિવમાં ફસાયેલા છે જ્યાં રશિયાએ મોટું લશ્કરી આક્રમણ શરૂ કર્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વિદેશ સચિવ રશિયા અને યુક્રેનના રાજદૂતો સાથે વાત કરી રહ્યા છે જેમાં તેઓ ભારતીય નાગરિકો માટે “તાત્કાલિક સલામત માર્ગ” માટેની ભારતની માંગનો પુનરોચ્ચાર કરશે જેઓ હજુ પણ ખાર્કિવ અને અન્ય શહેરોમાં સંઘર્ષના વિસ્તારોમાં અટવાયેલા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “રશિયા અને યુક્રેનમાં અમારા રાજદૂતો દ્વારા પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાર્કિવ શહેરમાં યુક્રેનિયન સૈનિકો અને રશિયન દળો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો:કર્ણાટકના વિદ્યાર્થીની સવારે જ વીડિયો કોલ પર થઈ હતી વાત, પિતાએ કહ્યું હતું,-
આ પણ વાંચો: યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીના મોતને લઈને સમગ્ર દેશમાં શોકની લહેર, વિપક્ષે કેન્દ્ર પર નિશાન સાધ્યું
