ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે કોંગ્રેસ અને ભાજપ દ્વારા વિવિધ જિલ્લાઓના પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષે રાજીનામું આપ્યા હોવાની ખબર પ્રાપ્ત થઈ રહી છે. તેઓએ શા માટે રાજીનામું કર્યું તે અંગે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
Himachal / હિમાચલમાં ભારે બરફવર્ષા, ચાર હાઈવે સહિત 267 રસ્તાઓ બંધ
મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ નાના પટોલે રાજ્ય કોંગ્રેસના આગામી પ્રમુખ હશે. તેથી, તેમણે ગુરુવારે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. વિધાનસભાના સૂત્રોએ જણાવ્યું છે કે પટોલે પોતાનું રાજીનામું એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર નરહરી ઝીરવાલને સુપરત કર્યું હતું. પાટોલે ભંડારા જિલ્લાની સાકોલી બેઠકના ધારાસભ્ય છે.
Election / જામનગરમાં ઉમેદવાર જાહેર થતા જ ભડકો : પાંચ ટર્મથી ચૂંટાયેલ કરશન કરમુરનું રાજીનામું

પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ મહેસૂલ પ્રધાન બાળાસાહેબ થોરાટને રાજ્યના પ્રમુખ તરીકે લેશે. મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર છે. થોરાટના નેતૃત્વમાં કોંગ્રેસના પ્રધાનોના પ્રતિનિધિમંડળ તાજેતરમાં દિલ્હીમાં પાર્ટીના નેતૃત્વને મળ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર 1 માર્ચથી શરૂ થશે.
Election / 105 કાઉન્સિલરોને ટિકિટ નહીં! 2010માં ચૂંટણી જંગ જીતેલા ચાર પૂર્વ કાઉન્સિલરને જ ટિકિટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
