Not Set/ નવાબ મલિકે ફોડ્યો દેવેન્દ્ર ફડણવીસ પર અંડરવર્લ્ડ અને નકલી નોટોનું હાઇડ્રોજન બોમ્બ…

ભાજપના નેતા પર આક્ષેપ કર્યો હતો અને એમ પણ કહ્યું હતું કે ફડણવીસ નકલી નોટોના કારોબારને પ્રોત્સાહન આપી રહ્યા છે અને તેમના ઈશારે મુંબઈમાં ગેરવસૂલી કરવામાં આવી રહી છે.

Top Stories India

નવાબ મલિક મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આરોપો પર પ્રેસ કોન્ફરન્સ કરીને જવાબ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે તમે મુખ્યમંત્રી રહીને અંડરવર્લ્ડ સાથે જોડાયેલા  લોકોને અધ્યક્ષ કેમ બનાવ્યા? તેમણે કહ્યું કે મુન્ના યાદવ નામની વ્યક્તિ, જેના પર હત્યાના કેસ નોંધાયેલા છે, શું તમે તે મુન્ના યાદવને બાંધકામ બોર્ડનો અધ્યક્ષ બનાવ્યો? શું મુન્ના યાદવ તમારા ગંગામાં સ્નાન કરીને પવિત્ર થયો?

દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરાયેલા તમામ આરોપોને ફગાવી દેતા તેમણે ખુદ ભાજપના નેતા પર આક્ષેપ કર્યો હતો અને એમ પણ કહ્યું હતું કે ફડણવીસ નકલી નોટોના કારોબારને પ્રોત્સાહન આપી રહ્યા છે અને તેમના ઈશારે મુંબઈમાં ગેરવસૂલી કરવામાં આવી રહી છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે દાઉદના નજીકના સાથી રિયાઝ ભાટીને દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો. ફડણવીસ દ્વારા મુંબઈ બ્લાસ્ટના આરોપીઓ પાસેથી જમીન ખરીદવાના આરોપ પર નવાબ મલિકે કહ્યું કે તેણે કાયદાકીય પ્રક્રિયા બાદ જમીન ખરીદી હતી.

નવાબ મલિકે આરોપ લગાવ્યો કે જ્યારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી થઈ હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે નોટબંધી એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે આતંકવાદ અને કાળું નાણું બંધ થશે. મોટા પાયે નકલી નોટોને દૂર કરવા માટે નોટબંધી કરવામાં આવી હતી. દરેક રાજ્યમાં નકલી નોટો પકડાવા લાગી, પરંતુ 8 ઓક્ટોબર, 2017 સુધી મહારાષ્ટ્રમાં નકલી નોટનો એક પણ કેસ નોંધાયો ન હતો. કારણ કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના આશ્રય હેઠળ નકલી ચલણનો ખેલ ચાલી રહ્યો હતો. 8 ઓક્ટોબર 2017ના રોજ એક દરોડામાં 14 કરોડ 56 લાખથી વધુની નકલી નોટો ઝડપાઈ હતી. દેવેન્દ્ર ફડણવીસે તે બાબતને ઢાંકવાનું કામ કર્યું હતું.

આઠ લાખ 80 હજારની વાત કહીને મામલો દબાવી દેવાયો હોવાનું મલિકે જણાવ્યું હતું. પાકિસ્તાનમાં બનાવવામાં આવેલીજાલી નોટો ભારતમાં આવી અને એ બાબતે કેસ પણ નોંધાયો અને થોડા દિવસોમાં જામીન મળી ગયા. આ મામલો NIAને સોંપવામાં આવ્યો ન હતો. કારણ કે, જેઓ નકલી ચલણનું રેકેટ ચલાવતા હતા, તેમને તત્કાલિન સરકારનું રક્ષણ હતું.