દેશભરમાં દિવસેને દિવસે કોરોના વાયરસનાં કેસો વધી રહ્યા છે અને આ મહામારીનાં મૃત્યુઆંકમાં વધારો થતો જ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 નાં 39,361 નવા કેસોની પુષ્ટિ થઈ અને 416 લોકોનાં મોત નીપજ્યાં છે.

રાજકારણ / સંસદ ટ્રેક્ટર લઇને પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યુ-સરકાર ખેડૂતોનો અવાજ દબાવવાનો કરી રહી છે પ્રયાસ
કોરોના વાયરસથી રિકવર થયેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે, એક્ટિવ કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. સોમવારે માહિતી જાહેર કરતા કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 39,361 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે 35,968 દર્દીઓ ઠીક થયા છે. વળી, આ સમયગાળા દરમ્યાન કોરોના સંક્રમણનાં કારણે 416 દર્દીઓ પણ મૃત્યુ પામ્યા છે. આ નવા આંકડા પછી, દેશમાં કોરોના વાયરસનાં એક્ટિવ કેસો વધીને 4,11,189 અને કોરોના વાયરસનાં રિકવર દર્દીઓની સંખ્યા વધીને 3,05,79,106 થઈ ગઈ છે.
India reports 39,361 new COVID cases, 35,968 recoveries, and 416 deaths in the last 24 hours
Active cases: 4,11,189
Total recoveries: 3,05,79,106
Death toll: 4,20,967Total vaccination: 43,51,96,001 pic.twitter.com/6nFjR1kNqc
— ANI (@ANI) July 26, 2021
કારગિલ વિજય દિવસ / PM મોદીએ કારગિલ યુદ્ધનાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી, કહ્યુ- અમને તેમની બહાદુરી યાદ છે
આપને જણાવી દઈએ કે, રવિવારે દેશનાં દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યમાં કોરોના વાયરસનાં 17 હજારથી વધુ કેસ નોંધાયા હતા. વળી આરોગ્ય મંત્રાલયનાં ડેટામાં એ પણ બહાર આવ્યું છે કે એપ્રિલ 2020 થી, ભારતમાં કોરોના વાયરસથી લગભગ અડધા મૃત્યુ આ વર્ષે એપ્રિલ અને મે મહિનાનાં માત્ર બે મહિનામાં થયા છે. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનાં ભય વચ્ચે રસીકરણ અભિયાન પણ ઝડપથી ગતિએ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં રસીનાં કુલ 43,51,96,001 ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં રસીનાં લગભગ 453 મિલિયન ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે.

મહત્વના સમાચાર / કારગિલ વિજય દિવસે નિમિત્તે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્રાસની મુલાકાત લેશે, શહીદોને શ્રદ્ધાંજલિ આપશે
ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં કોરોના વાયરસ મહામારીનો કહેર હજુ ખતમ થયો નથી, કોવિડ-19 નાં કેસો વધીને 19.4 કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે કુલ 41.5 લાખ લોકોનાં મોત થયાં છે અને 384 કરોડ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) એ સોમવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં ખુલાસો કર્યો છે કે વર્તમાન વૈશ્વિક કેસ અને મૃત્યુની સંખ્યા અને રસીની કુલ માત્રા અનુક્રમે- 19,40,92,488, 41,58,316 और 3,84,19,36,983 છે.
