કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ કેસમાં NCBના મુખ્ય સાક્ષી પ્રભાકર સેલનું ગઈકાલે અવસાન થયું હતું. વકીલ તુષાર ખંડારે આ માહિતી આપી છે. ચેમ્બુરના માહુલ વિસ્તારમાં તેમના નિવાસસ્થાને શુક્રવારે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું, આપને જણાવી દઈએ કે, આ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો. બાદમાં તેને જામીન મળી ગયા હતા.
Mumbai | NCB's panch witness in Cordelia cruise drug case, Prabhakar Sail died yesterday. As per his lawyer Tushar Khandare, he died of a heart attack at his residence in Mahul area of Chembur yesterday.
(File pic of Prabhakar Sail) pic.twitter.com/CUplYNkuIh
— ANI (@ANI) April 2, 2022
પ્રભાકર સેલ NCBના સાક્ષી કિરણ ગોસાવીનો બોડીગાર્ડ હતો. તેણે આરોપ લગાવ્યો કે, ગોસાવીએ ક્રુઝ શિપ પર દરોડા પાડ્યા બાદ એક વ્યક્તિ પાસેથી 50 લાખ રૂપિયા લીધા હતા. SAILએ કહ્યું હતું કે, “હું કિરણ ગોસાવીના બોડીગાર્ડ તરીકે કામ કરતો હતો. મેં તેને મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મદદ કરી હતી.
જો કે, એનસીબીએ કોર્ટમાં તેના સોગંદનામામાં સેઇલને “પ્રતિકૂળ સાક્ષી” તરીકે નામ આપ્યું હતું. ગોસાવી વિરુદ્ધ 18 ઓક્ટોબરે કેસ નોંધવામાં આવ્યો હતો. તે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પર ડ્રગ્સ-ઓન-ક્રુઝ કેસના સંબંધમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ઓફિસમાં આરોપ લગાવતો જોવા મળ્યો હતો.
2 ઓક્ટોબર, 2021ના રોજ દરિયાની મધ્યમાં ગોવા જઈ રહેલા કોર્ડેલિયા ક્રુઝ શિપ પર NCBની ટીમ દ્વારા ડ્રગ્સની કથિત પાર્ટીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં આર્યન સહિત કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો:/ મહારાષ્ટ્રમાં કોરોનાનાં તમામ પ્રતિબંધો હટાવ્યા, આજથી માસ્ક લગાવવું પણ ફરજિયાત નથી
આ પણ વાંચો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, જાણો આજે કેટલું મળશે 1 લીટર ઈંધણ?
