કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે લક્ષદ્વીપમાં ડ્રાફ્ટ નિયમન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ મામલામાં દખલ કરવા અને આ કેન્દ્ર શાસિત પ્રદેશોનાં પ્રશાસક પ્રફુલ કે.પટેલનાં આદેશો પાછા ખેંચી લેવાની ખાતરી કરવા તાકીદ કરી હતી.
રાજકારણ / નવા નિયમો હેઠળ યૂઝર્સની પ્રાઇવસીનું કરાશે સમ્માન, ડરવાની નથી જરૂરઃ રવિશંકર પ્રસાદ
તેમણે એમ પણ આક્ષેપ કર્યો હતો કે પટેલ દ્વારા મનસ્વી સુધારા કરવામાં આવ્યા છે અને ‘જન વિરોધી નીતિઓ’ જાહેર કરવામાં આવી છે, આ કારણે લક્ષદ્વીપનાં લોકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. કોંગ્રેસનાં નેતાએ પત્રમાં લક્ષદ્વીપમાં વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરતા કહ્યું, “લક્ષદ્વીપ વિકાસ ઓથોરિટી રેગ્યુલેશનનો ડ્રાફ્ટ એ પુરાવો છે કે સંચાલક લક્ષદ્વીપની ઇકોલોજીકલ શુદ્ધતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.” તેમણે દાવો કર્યો હતો કે આ ડ્રાફ્ટની જોગવાઈઓ લક્ષદ્વીપમાં જમીનની માલિકી સંબંધિત સુરક્ષા કવચને નબળી પાડે છે, અમુક પ્રવૃત્તિઓ માટે પર્યાવરણીય નિયમો ઘટાડે છે અને અસરગ્રસ્ત લોકો માટે કાનૂની પગલાં મર્યાદિત કરે છે. રાહુલ ગાંધીનાં જણાવ્યા મુજબ લક્ષદ્વીપમાં કેટલાક ટૂંકા ગાળાનાં વ્યાપારી લાભ માટે આજીવિકાની સુરક્ષા અને ટકાઉ વિકાસની અવગણના કરવામાં આવી રહી છે. પંચાયત નિયમનનાં મુસદ્દાનો સંદર્ભ આપતા તેમણે કહ્યું કે, બે કરતા વધારે બાળકો ધરાવતા સભ્યોને ગેરલાયક ઠેરવવાની જોગવાઈ સંપૂર્ણપણે લોકશાહી વિરોધી છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, અસામાજિક પ્રવૃત્તિ નિવારણનાં નિયમન, લક્ષદ્વીપ પ્રાણીઓની સુરક્ષાનાં નિયમમાં ફેરફાર અને દારૂનાં વેચાણને દૂર કરવા એ લક્ષદ્વીપનાં સ્થાનિક સમુદાયનાં સાંસ્કૃતિક અને ધાર્મિક બનાવટ પર હુમલો છે. તેમણે વડા પ્રધાનને વિનંતી કરી, “તમે હસ્તક્ષેપ કરો અને ખાતરી કરો કે આ આદેશો પાછા ખેંચાય.” કોંગ્રેસ સંગઠનનાં મહામંત્રી કે.સી. વેણુગોપાલે પણ સોમવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને પત્ર લખી લક્ષદ્વીપનાં સંચાલક પ્રફુલ પટેલને પરત બોલાવવાની માંગ કરી હતી.
રાજકારણ / મહુઆ મોઇત્રાએ રામદેવ પર કટાક્ષ કરતા કર્યું ટ્વીટ- એરેસ્ટ તો કોઇનો બાપ પણ નથી કરી શકતો
આ ઉપરાંત તેમણે રાષ્ટ્રપતિને પ્રફુલ પટેલનાં કાર્યકાળ દરમિયાન લીધેલા નિર્ણયો રદ કરવા પણ જણાવ્યું છે. અહેવાલો અનુસાર, મુસદ્દાનાં નિયમો હેઠળ લક્ષદ્વીપ પાસેથી દારૂનાં સેવન પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, પ્રાણીઓનાં સંરક્ષણને ટાંકીને માંસનાં ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે. લક્ષદ્વીપની મોટાભાગની વસ્તી મત્સ્યોદ્યોગ પર આધારીત છે, પરંતુ વિપક્ષી નેતાઓનો આરોપ છે કે પ્રફુલ પટેલે દરિયાકાંઠાનાં વિસ્તારોમાં માછીમારોની ઝૂંપડીઓ તોડવાનો આદેશ આપ્યો છે, જેના આધારે કોસ્ટગાર્ડ અધિનિયમનો ભંગ થાય છે. દરમિયાન, ભાજપનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એ.પી. અબ્દુલ્લાકુટ્ટીએ સોમવારે આક્ષેપ કર્યો છે કે વિપક્ષી નેતાઓ એડમિનિસ્ટ્રેટર પટેલનો વિરોધ કરી રહ્યા છે, કેમ કે તેમણે દ્વીપ સમૂહમાં નેતાઓની ભ્રષ્ટ પ્રથાને સમાપ્ત કરવા માટે કેટલાક પગલા લીધા છે. અબ્દુલ્લાકુટ્ટી લક્ષદ્વીપમાં ભાજપનાં પ્રભારી પણ છે.

