Surat/ નવોઢાએ  કન્યાદાનમાં મળેલી રકમ રામમંદિરને આપી દાનમાં, કહ્યું, -જયારે …

લગ્ન દરમિયાન દ્રષ્ટી ને કન્યાદાનમાં તેના પિતા પાસેથી 1.5 લાખ રૂપિયા મળ્યા હતા, જે કન્યા લગ્ન સમારંભમાં જ અયોધ્યામાં નિર્માણ પામનારા રામ મંદિરને દાનમાં આપ્યા છે.

Gujarat Surat

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે દેશની દરેક વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર દાન આપી રહી છે. રાજા હોય કે રંક દરેક પોતાની શકતી અનુસાર રાજા રામ ના દરબાર માં પોતાની યથાશક્તિ ભેટ ચઢાવી રહ્યું છે. ત્યારે દરમિયાન, સુરતમાં એક કન્યાએ ભગવાન શ્રી રામના મંદિર માટે તેના કન્યાદાનમાં આવેલી દોઢ લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. તેણે કહ્યું કે જ્યારે પણ હું રામ મંદિર જોઉં છું ત્યારે મને મારા લગ્નનો દિવસ યાદ આવશે.

લગ્નના દિવસે લેવામાં આવેલ મોટો નિર્ણય

મળતી માહિતી મુજબ હીરા વેપારી રમેશ ભલાણી સુરતમાં રહે છે. તેમની પુત્રી દ્રષ્ટી એક જ્વેલરી  ડિઝાઇનર છે, જેણે લૂમ્સના ઉદ્યોગપતિ સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્ન દરમિયાન દ્રષ્ટી ને કન્યાદાનમાં તેના પિતા પાસેથી 1.5 લાખ રૂપિયા મળ્યા હતા, જે કન્યા લગ્ન સમારંભમાં જ અયોધ્યામાં નિર્માણ પામનારા રામ મંદિરને દાનમાં આપ્યા છે.

કન્યાએ આ કહ્યું

રામ મંદિર માટે દોઢ લાખ રૂપિયાનો ચેક આપ્યા બાદ દ્રષ્ટી એ કહ્યું કે આપણે બધાં ઘણાં વર્ષોથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણની વાત કરતા હતા. હવે એવો સમય આવી ગયો છે કે જ્યારે ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવનાર છે. મારા પરિવાર માટે આ ગર્વની ક્ષણ છે. મને આ માટે મારા પિતા પાસેથી પ્રેરણા મળી.

Arvalli / અહીં વહી રહી છે ઉંધી ગંગા, ભાજપના કાર્યકર્તા જોડાયા કોંગ્રેસમાં

Political / BJP – RSS ના લોકો દેશમાં નફરત ફેલાવવાનું કરી રહ્યા છે કામ : રાહુલ ગાંધી

લગ્નનો દિવસ યાદ રાખશે

મળતી માહિતી મુજબ, દુલ્હનએ કહ્યું કે મેં મારા સપનામાં તેના વિશે વિચાર્યું પણ નાં હતું કે હું લગ્નમાં મળેલું કન્યાદાન દાનમાં આપીશ, ભગવાન રામની કૃપાથી મને આ તક મળી. ભવિષ્યમાં હું જ્યારે પણ અયોધ્યા જઈશ અને ભગવાન રામને જોઈશ ત્યારે મને મારા લગ્નનો દિવસ યાદ આવશે.

રામમંદિર નિર્માણ મુદ્દે આવતીકાલે અયોધ્યામાં સંતોની બેઠક | saints meeting  for ram mandir in ayodhya on 3 june | Gujarati News - News in Gujarati -  Gujarati Newspaper - ગુજરાતી સમાચાર ...

મહેમાનોએ પણ દાન આપ્યું હતું

એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં કન્યાની વાત સાંભળીને આવેલા મહેમાનોએ પણ રામ મંદિરમાં દાન આપ્યું હતું. નોંધનીય છે કે સુરતમાં ઘણા લોકો દરરોજ રામ મંદિર માટે સમર્પણ ભંડોળ આપી રહ્યા છે. અહીં રહેતા ધનજી રાખોલિયા અને રાકેશ દુધાતે થોડા દિવસો પહેલા 11-11 લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા. એકલા સુરતથી રામ મંદિર માટે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની દાન આપવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો